________________
શકા ૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૨૧ કરતી વખતે પણ મર્યાદા સચવાય, તે પણ શ્રાવકપણું. શ્રાવિકા ચૂલો પૂંજે, પૂંજણી ફેરવે, દૃષ્ટિ ફેરવે, લાકડાં તપાસે, પછી ચૂલો સળગાવે, તો પણ શ્રાવિકા એ ભાવના ભાવે કે “શું કરું ! હજી ત્યાગ આવતો નથી માટે આ ક્રિયા કરવી પડે છે, પણ ક્યારે છૂટે !! આનું નામ શ્રાવકપણું. રોજ આ દશા હોય.
જો શ્રાવકપણું આવ્યું હોય તો એઠાં પાણી પીવાય છે તે પીવાય ? ચૂલો, રસોડું રસોઇયાને જ સોંપી દેવાય છે તે સોંપી દેવાય ? ચૂલો ક્યારે સળગાવાય છે તેની ખબર નથી પડતી તે બને ? પાશેર પાણીની જરૂર હોય ત્યાં પાંચ મણ પણ વપરાય છે તે બને ? પાપની ક્રિયાનો ડર લાગે તો લોભ પણ ઘટે. દરેક ક્રિયા મંદ પડે. બચાવની કાળજી રાખે. શ્રાવકને છયે કાયની વિરાધના લખી તો છે જ.
રોજ જીભના સ્વાદ ખાતર દશ વનસ્પતિ ખાનારો પણ શ્રાવકપણું આવે એટલે સંકોચ કરે અને કરતાં કરતાં એવો થાય કે એક આવે અને પછી એનો પણ ત્યાગ કરે, એ વિચારે કે “શા માટે ન ચાલે ?” દશથી એકે આવે અને તે એક પણ જાય, પણ કરતાં કરતાં છાયા પડે તોને ! પેટ ભરવા માટે ભોજન જોઈએ એ તો કબૂલ, રોટલી પાંચ, દશ, ડઝન, બે ડઝન જે ખોરાક હોય તે જોઈએ, પણ ચાર શાક કે શાક વગેરે વાનગીઓનો ઢગલો, એ પેટ ભરવા માટે જરૂરી છે ? એ બધું શા માટે ? ભૂખ્યા નથી રહેવાતું માટે આ બધું ખવાય છે, એ વાત તો ઊડી.
શ્રાવક ધારે તો પ્રિય વસ્તુને આઘી મૂકે, એ પણ તપ છે. આવો તપ તો રોજ થાય. એ રષ્ટ તત્ ત્યાન્, - જે ઇષ્ટ તે તજવું, આ ટેવવાળો એવો બની જાય કે પછી લખું પણ મજેથી ખાય. આયંબિલમાં જે મોં બગડે છે તે ન બગડે. આયંબીલમાં પણ દશ-બાર ચીજ જોઈએ, એ ભાવના સ્વાદે કરાવી. બેશક, ચીજ ગમે તેટલી, પણ લુખ્ખી તો ખરી. ઉત્કટ આયંબીલ તો તે છે કે બધી વસ્તુ ભેળી કરી, તેમાં તેના પર ચાર આંગળ ઊંચું રહે તેટલું પાણી નાખી, એ ખાઈ જવું તે ! આયંબીલમાં ચીજ ગમે તેટલી પણ ઉત્તેજક તો નહિ ને ! ખાય કેટલું ? ખવાય તેટલું.
ગરમાગરમ ભજિયાં હોય તો સાંજે પેટ ભરીને વાળુ કરવા છતાં રાતના બાર વાગે હોટલમાં જઈને ખવાય, તે પેટના કારણને લીધે ? ભૂખને લીધે ? નહીં જ, પત્તરવેલી, આલુ, બટાકાની કાતરી, શિખંડ વગેરે ખાય તે ભૂખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org