________________
૧૨૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
80.
રેલાવે કે સાંભળનારને છેક કરે. શ્રી અભયકુમારે પણ જાણ્યું કે આ તે કેવીક હશે ! શ્રી અભયકુમારે ભોજનનું આમંત્રણ આપ્યું, ત્યારે કહે છે કે “જે ગામમાં જે દિને તીર્થયાત્રા કરવા પેસીએ છીએ, તે દિવસે ઉપવાસ કરવાનો નિયમ છે. આ બે વિધવા પુત્રવધૂઓ સંયમની ભાવનાવાળી છે અને તેથી મારી પણ સંયમની ભાવના છે, માટે તીર્થયાત્રાએ નીકળ્યાં છીએ, બાદ સંયમ લેવાનાં છીએ.' હવે આમાં શંકા શી પડે ? ચાલ પણ એવી કે જાણે પાક્કી ઇર્યાસમિતિ પાળે છે. સાચા શ્રાવકને તો પ્રમાદ પણ થાય, પણ આ બનાવટી શ્રાવિકાને પ્રમાદ પણ ન થાય ! એ તો મુનિથી પણ દેખાવમાં વધે તેવી ઇર્યાસમિતિ પાળે. એની કાર્યવાહી જોઈને શ્રી અભયકુમારને પણ કહેવું પડ્યું કે આવું શ્રાવિકારત્ન દુનિયાભરમાં ન જોયું, કારણ કે વેશ્યાને તો ધર્મના નામે શ્રી અભયકુમાર જેવા મંત્રીશ્વરને ઠગવો હતો અને વેશ્યા સમજતી હતી કે એની ચારે બુદ્ધિ અંજાઈ જાય તેવી કાર્યવાહી કરવી જોઈએ : અર્થાતુ - એને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાની ફરજ જ ન પડે એવી કાર્યવાહી કરવી જોઈએ. બાકી સાચા ધર્મના સાધનના નામે આશ્રવનાં દ્વાર ખોલવાનો અધિકાર ક્યાંથી મળે ?
ધર્મના પૂરા સાધનમાં આશ્રવની છાંટ પણ ન હોય. શ્રાવક તો નિરંતર વિચારે કે પાપમાં તો હતા જ, માટે મર્યાદિત થવાય એટલું જ શ્રાવકજીવન અને જેટલું ખુલ્લું જીવન તેટલું ઇતર જીવન. દરેક કરણીમાં શ્રાવક જીવન જળવાય, પણ જો જાળવવું હોય તો ! ચૂલા પાસે પણ જળવાય અને દુકાનમાં પણ જળવાય, પરંતુ શ્રાવકજીવનનો મર્મ સમજો તો !
દરેક ક્રિયામાં જો નાખવા માગો તો શ્રાવકજીવનના અંશ નાખી શકો છો અને તે રીતે જો અંશ નાખો તો બંધ અલ્પ પડે. આ વિશેષણવિશિષ્ટ ક્રિયા કરો તો બંધ અલ્પ પડે. જ્ઞાનીની આજ્ઞા વિશેષણમાં છે, પણ વિશેષ્યમાં નથી. વાક્ય વાક્ય વિધાન સમજાતું નથી, વિધાનમાં કરણીનો ભેદ પડતો નથી, એની જ બધી પંચાત છે. પહેલી વાત તો એ કે શ્રાવક અઢારે પાપસ્થાનકને પાપસ્થાનક તો માનેને ! ક્રિયા ઓછી કે વધતી. પણ પાપસ્થાનકને પાપસ્થાનક તો માનેને ! પાપથી મુક્તિ મળે એમ તો કોઈ શ્રાવક માને નહિ ને ! અઢારેને પાપ માનો તો તે છોડવાનાં તો ખરાં જ ને ! અઢારમું તો મિથ્યાત્વ શલ્ય : એ તો શ્રાવકને ન જ હોય અને બાકીના સત્તરને કદી સેવવાં પણ પડે, તો પણ તે કંપતે હૃદયે સેવે : કારણ કે પાપસ્થાનકને ખરાબ તથા નુકસાનકર્તા તો તે માને જ છે. પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org