________________
૮ઃ સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૧૯
વિશિષ્ટતા શી છે તે વિશ્વને બતાવો. કોઈ સંતોષી ઇતર તમને કહે કે “ભલે તમે શ્રાવક છો, પણ તમારા કરતાં અમે લોભિયા ઓછા છીએ.' - તો એને તમે કહો શું? આજના ઉચ્છુખલો તો એમ જ સમજે છે કે “શ્રાવકજીવન એટલે ગમે તેમ કરીએ તોયે વાંધો નહિ. પૂજા ફાવે તો કરીએ, ન ફાવે તો ન પણ કરીએ, દેવગુરુ-ધર્મને મરજીમાં આવે તો માનીએ, નહિ તો ન પણ માનીએ, શાસ્ત્રને માનવું હોય તો માનીએ, નહિ તો ન પણ માનીએ, અમે તો ગૃહસ્થ છીએ. કારણ કે સંસારીને બધી જ છૂટ.” -પણ એ સમજ અજ્ઞાનભરી છે. શ્રાવકજીવનની મર્યાદા શી છે ? તે ત્યારે જ સમજાય, કે જ્યારે સંસાર અને મોક્ષનાં કારણો ભિન્ન ભિન્ન છે એમ સમજાય. પણ હજુ તો દુનિયાદારીની વસ્તુ મોક્ષે કેમ ન લઈ જાય, આવી ભાવના વર્તી રહી છે ત્યાં શું થાય ? માટે ખૂબ વિચારો કે મોક્ષે લઈ જનારી ઇચ્છા, ભાવના તથા પ્રવૃત્તિ કઈ હોય ? અને જેનું સાધન જે હોય તેને તે તરીકે જીવવા દો પણ ઉપરછલ્લે શરીરને ધર્મસાધન માની, તેની ખાતર બધી જ પાપક્રિયાઓ કરવામાં મશગૂલ ન બનતા. “શરીર ધર્મનું સાધન છે માટે એ શરીર માટે રાત્રે દૂધ પીવામાં વાંધો નહિ, કૉડલીવર ઑઇલ લેવામાં વાંધો નહિ.' - એવી એવી ભાવનાઓ કાઢી નાંખો. ગણાવવું, મનાવવું અને બનાવવું છે ધર્મનું સાધન, અને એ તેમાં ચીજો એવી નાખવી છે કે જેના યોગે ધર્મ રહેવા જ ન પામે. આજે તો ધર્મના સાધનના નામે ગમે તેવી અનીતિ કરવી અને અભક્ષ્યનું ભક્ષણ આદિ કરવું, એમાં વાંધો જ નહિ એમ મનાય છે અને મનાવાય છે. ખરેખર, વેશ્યાઓએ ધર્મના બહાને બુદ્ધિના નિધાન અભયકુમારને ઠગ્યા હતા, એ વાત યાદ આવે છે. ધર્મસાધનના નામે બધી જ પોલ ચાલે એમ ? આથી જ કહેવું પડે છે કે એક વસ્તુને ધર્મસાધન કહી તેના માટે ધમધોકાર અધમ પ્રવૃત્તિ કર્યો જવી તે ભયંકર દંભ છે.
સાચા ધર્મના સાધનમાં તો પ્રથમ પણ ધર્મ, મધ્યમાં પણ ધર્મ અને પછી પણ ધર્મ હોય. પણ આજે તો ધર્મના સાધનના નામે બધી પ્રવૃત્તિ જુદી ચાલી પડી છે અને પ્રાયઃ બનાવટી વસ્તુનો આડંબર પણ ઘણો જ હોય છે. અને એનાં બોર્ડ પણ જુદાં જ. જીભની લોલુપતાના પરિણામે
શ્રી અભયકુમાર જેવા બુદ્ધિનિધાન પણ કૃત્રિમ શ્રાવિકા બનનાર વેશ્યાથી ફસાયા, કારણ કે દેખાવ, રીતભાત વગેરે બધું જ જુદું. સ્તવનમાં એવો સંવેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org