________________
૧૧૮
----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
---
૩૩
માટે ? જિંદગીના વ્રતમાં તો મોકળાશ મોટી હોય ? એનો એ આ ચૌદ નિયમથી રોજ સંક્ષેપ કરે. સમજે છે કે સંસારમાં ફસાયો છું, વખતે લોભના પ્રસંગે નિયમભંગ થવાનો પ્રસંગ આવે, માટે તેવું ન થાય તે માટે જિંદગીના વ્રતમાં મોકળાશ રાખી છે, પણ તે છતાં રોજ સંક્ષેપ કરવો જોઈએ. જિંદગીના વ્રતમાં વ્રતભંગના પાપથી બચવા માટે આટલી પોલાણ રાખેલ છે. પણ એટલું વાપરવું જ જોઈએ એ નિયમ નથી. પચાસ લાખના પરિમાણવાળાને જિંદગી સુધી પાંચ લાખ હોય તેથી નિયમ ન ભાંગે, જ્યારે પચાસ લાખનો એક થાય ત્યારે નિયમ ભાંગે, આથી સ્પષ્ટ છે કે પચાસ લાખનો પરિગ્રહ રાખનારે પચાસ લાખ ભેગા કરવા જ જોઈએ એમ નથી જ ! વખતે પુણ્ય સંયોગો આવી જાય તો નિયમભંગ ન થાય, માટે વધુ પરિમાણ રાખેલ છે, પણ એ રાખવા જોગ છે એ બુદ્ધિ તો ન જ હોવી જોઈએ. ઊલટો એ તો માને અને કહે કે “પામર છું કે વધુ પરિમાણ રાખું છું.” આ બધું સમજીને વિચારો કે શ્રાવકનો ધર્મ શો ? આરંભ પરિગ્રહમાં રત રહેવું છે કે વિરક્ત રહેવું તે ?
શ્રી કૃષ્ણ મહારાજ વ્રતધારી નહોતા, પણ એ અભિગ્રહ કરતા કે ચોમાસામાં બહાર જવું નહિ. અને શ્રી કુમારપાળ મહારાજનો પણ અભિગ્રહ હતો કે મંદિર અને ઉપાશ્રય સિવાય ચોમાસામાં ગામમાં પણ ફરવું નહિ. જેમ વતરક્ષા વધુ તેમ ધર્મમાં સ્થિરતા વધુ. સાધુવ્રતની વાતો સાંભળવી ભારે પડે છે, પણ શ્રાવક તો બનવું છે ને ? બધા શ્રાવક શ્રાવકેય બની જાય, તો કંઈ જ પંચાત ન રહે. અરે, રાજ્યને પણ ઘણી ડખલ ઓછી થાય. ગુના થાય ત્યારે ડખલ થાય ને ?
શાસ્ત્ર કહે છે કે બધા માર્ગાનુસારી બની જાય તોય દુનિયામાં થતા ગુનાઓ બંધ થઈ જાય. માર્ગાનુસારી ગુણો પૈકીના ત્રણ ગુણ. ૧. “ન્યાયસંપન્નવિભવ, પાપભીરુપણું, અને જિતેંદ્રિયપણું.' – આ ત્રણ ગુણો દરેકમાં આવી જાય તો રાજ્યને પણ ધાંધલ મટે. અન્યાય પાપપ્રવૃત્તિ અને ઇંદ્રિયોની આધીનતાના યોગે જ બધી મારામારી છે. ગુના માત્ર આના યોગ થાય છે. આ છૂટી જાય તો પોલીસ શું કામ જોઈએ ? પોલીસ કોના માટે ? પાંચે ઇંદ્રિયો ખુલ્લી હોય તેને માટે. ઇંદ્રિય ઉપર અંકુશ હોય અને પાપનો કંપ હોય તો ગુના થાય ? અનીતિથી ડરે તો ગુના થાય ? આ ત્રણ દુર્ગુણ આવે તો ગુના થાય. હવે સમજો કે શ્રાવકજીવન કેવું હોય ? દુનિયાના મનુષ્યોના જીવનથી શ્રાવક જીવનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org