________________
કા
૮ : સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે ? – 58 ૧૧૭
દેતી વખતે તો જરા શુભ ભાવના પણ હોય. એ વખતે તો લક્ષ્મી મેળવી કાં'ક કરું એમ થાય, પણ કાં'ક માટે લક્ષ્મી મેળવવામાં પડીને રાંક થાય છે. કારણ કે પરિગ્રહ એ દાનનું કારણ નથી.' - એ વસ્તુનો તેને ખ્યાલ નથી રહેતો. અને એથી તે એ પણ ભૂલી જ જાય છે કે “ત્યાગીનો ઉપદેશ દાન જ કરાવે.' એ જ કારણે ગાયનું ભેંસ તળે અને ભેંસનું ગાય તળે ઘાલીને સમજપૂર્વક ગોટાળો કરવામાં આવે છે. ધર્મસાધન કહી એને અધર્મનું સાધન બનાવવું એ ભયંકર દંભ છે !
જે વસ્તુ જેનું નિમિત્ત, તેને ભૂલવાથી જ ગોટાળો થાય છે. શાસ્ત્ર તો કહે છે કે બહુ આરંભી, સમારંભી અને બહુ પરિગ્રહવાળો નરકે જાય. વારુ, ત્યારે આરંભ સમારંભ વિના લક્ષ્મી આવે ક્યાંથી ? - આના ઉત્તરમાં શાસ્ત્રકાર કહે છે કે અમારે એ પંચાત કરવી જ નથી. તમારી પાસે આવેલી લમીને મોક્ષની સાધનામાં ઉપયોગી બનાવવાની અમારી ભાવના છે, પણ સાધના માટે લક્ષ્મી મેળવવા અને તે ખાતર આરંભ, સમારંભ અને પરિગ્રહ કરાવવાની ભાવના નથી. આરંભ, સમારંભ અને પરિગ્રહમાં એ પ્રતાપ છે કે અહીં ચિત્તને ચોંટવા જ ન દે. આરંભી, સમારંભી અને પરિગ્રહનું મન તો બહાર જ ફર્યા કરે, કારણ કે જેટલી ઉપાધિ વધારે એટલી ચિંતા વધારે. એક પેઢીવાળા કરતાં ચાર પેઢીવાળાને ચિંતા વધારે : બહારગામ પેઢી હોય તેને વળી એથીયે વધારે ચિંતા : રોજ ટપાલ ને તાર જોવાં પડે. જેમ જેમ આરંભ ને પરિગ્રહ વધે, તેમ તેમ સ્થિરતા વધે કે ઘટે ? ધર્મકાર્યમાં, પૂજામાં સ્થિરતા વધે કે ઘટે ?
શ્રી આનંદ અને શ્રી કામદેવ વગેરેએ જ્યારે પ્રભુના ઉપદેશથી જોયું કે આ ખોટું છે કે તરત આરંભ પરિગ્રહ ઉપર કાબૂ મેળવી તેને કમી કર્યા. અમુક વર્ષે તો એ હાલતમાં આવ્યા કે પહેલાં તો લક્ષ્મીનું પૂર આવતું હતું અને પછી તો પાળ બાંધી, કે આથી આગળ નહિ. અભ્યાસથી એવા બન્યા કે પૌષધક્રિયામાં પોતાના કુટુંબને નાશ પામતું જોયું, તોય હૃદય ન કંપ્યું. આરંભ, પરિગ્રહની સ્થિતિ ઘટી ત્યારે જ એ બન્યું, સર્વથા ત્યજાય ત્યારે સાધુધર્મ અને શ્રાવકપણામાં જેટલા પ્રમાણમાં ત્યજે તેટલા પ્રમાણમાં ધર્મ થાય.
હવે વિચારો કે શ્રાવકમાં જેમ જેમ વ્રતપર્યાય વધે તેમ તેમ આરંભપરિગ્રહ વધે કે ઘટે ? વ્રત ધારણ કર્યા પછી રોજ ચૌદ નિયમ ધરાય છે તે શા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org