________________
૧૧૬ ------- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
પણ ઠીક અને આ પણ ઠીક' –એ સમ્યગુદૃષ્ટિને ન જ પાલવે. બેય ઠીક તો એક પ્રત્યે અરુચિની દૃષ્ટિ અને એક પ્રત્યે રુચિની દૃષ્ટિ એમ કેમ ? જે આત્મા મોક્ષને માને, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યક્યારિત્રને મોક્ષનાં સાધન તરીકે સ્વીકારે, તેની દુનિયાના પદાર્થો તરફ દૃષ્ટિ કઈ હોય ? સાધન કે સાધ્ય દૃષ્ટિ ન જ હોય, કારણ કે તેને મન તો સાધ્ય એ મુક્તિ છે અને સાધન તો એક રત્નત્રયી જ છે. તો પછી વિચારો કે મોક્ષમાર્ગના આરાધક આત્માની સંસારના પદાર્થો તરફ કઈ દૃષ્ટિ હોય ? સમ્યગ્દષ્ટિ આત્મા ઇચ્છે શું ? એ તો એ જ ઇચ્છે કે જોઈએ તો કંઈ નહિ. દેશ, નગર, ગામ, કુટુંબ, પરિવાર, સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય કંઈ પણ જોઈએ તો નહિ જ. છતાંય કદાચ પુણ્યયોગે મળી જાય તો આર્યદેશ મળજો, જોઈતો તો નથી પણ દેશ જો મળવા નિર્માયો હોય તો આર્યદેશ મળજો, સ્નેહી વગેરે મળવાના હોય તો ધર્મમાં સહાયક મળજો, શરીર મળે તો ભોગમાં ન લેવાય તેવું મળજો, અને હૃદય મળે તો વાતવાતમાં આકુળ-વ્યાકુળ ન થાય તથા પાપવાસનાઓ તરફ પણ ન દોરવાઈ જાય તેવું મળજો. મતલબ કે સાધન મળો તો મુક્તિમાં વિદન ન કરે, પણ સહાય કરે તેવાં જ મળજો. આ બધું મગાય ? કારણ કે તેમાં માગવાની ભાવના તો મુક્તિની જ છે. પણ આજે તો ભાવના જ કોઈ જુદી છે, કારણ કે સંસાર તથા મોક્ષની ભિન્નતા, એના સ્વરૂપની ભિન્નતા અને એને લઈને એના હેતુ તથા કારણોની ભિન્નતા સમજાઈ નથી.
કોઈ પાંચ હજારનું દાન કરે એ જોઈને આજ એમ થાય છે કે “આની પાસે લક્ષ્મી હતી તો પાંચ હજાર દાન કર્યું, માટે હું પણ તેટલી લક્ષ્મી મેળવું.” પણ એમ નથી થતું કે “એની પાસે એટલી લક્ષ્મી હતી તો પાંચ હજાર આપ્યા, તો મારી પાસે હોય તેના પ્રમાણમાં હું પણ આપું.' લક્ષ્મી અધિક મેળવવાની ભાવના થાય છે, પણ પેલો પાંચ હજાર મૂકે છે એ જોઈને પોતાથી મુકાય તેટલું પણ મૂકવાની ભાવના થતી નથી. અહીં જ ગોટાળો છે. દાન મુક્તિનું સાધન કેમ છે તે જ સમજાતું નથી. અને એથી જ દાન જોઈને લક્ષ્મી ઉપરથી મૂચ્છ ઊતરવાને બદલે ઊલટી લક્ષ્મી મેળવવાની ભાવના થાય છે. એ થયું એટલે આરંભ - સમારંભ અને પરિગ્રહની માત્રા વધે છે. અને એ વધ્યું એટલે ગબડ્યો. સંસાર તથા સંસારનાં કારણો અને મોક્ષ તથા મોક્ષનાં કારણોની ભિન્નતા ન સમજવાથી જ આ ગરબડ થાય છે. દાન જેવા ધર્મના નિમિત્તે પણ જેને આમ થાય, તેનું થાય શું? દેનારને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org