________________
૧૧૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
કચ્છ
લેવાય તો ધાર્યું ફળ મળે, અને તેવી કોઈ ચીજ પણ આત્માને દબાવે નહિ. વસ્તુના દોષમાં લેપાઈ ન જાય તો એ જ ચીજ મોક્ષમાર્ગમાં ઉપયોગી થાય, પણ તેથી એ મોક્ષમાર્ગના આરાધનામાં એકાંતે સાધનરૂપ નથી જ!મોક્ષનાં એકાંત સાધન તો સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર જ છે સંસારની બીજી ચીજો મોક્ષનાં સાધન તો નથી જ. સાધનરૂપ બનાવો તો બની શકે, બનાવી શકાય અને તે પણ ત્યારે જ બને, કે જ્યારે એમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યફચારિત્રની આરાધના હોય ! કોનું શરીર ધર્મસાધન કહેવાય ?
સભા : “શરીરમાં ઉનુ ધર્મસાધનમ્” એમ કહ્યું છે ને !
બસ એટલું જ યાદ રહ્યું, પણ પછી આગળ કાંઈ વિચારવાનું ખરું કે નહિ ? જે શરીરને ધર્મનું સાધન કહેવાય તે સાધન માટે ધર્મનું બલિદાન અપાય ? અને ધર્મનું સાધન શરીર, પણ તે કોનું શરીર ? બધાનું શરીર ? નહિ, પશુને પણ શરીર તો છે કે નહિ ?
સભા : ધર્મ કરતો હોય તેનું.
તે પણ કેટલો ધર્મ કરતો હોય તેનું ? સમજી લો કે બની શકે એટલો ધર્મ કરે. એનું નહિ ? કારણ કે ચોવીસે કલાક ધર્મ જ કરતો હોય, તેનું જ શરીર ધર્મસાધન રૂપ કહેવાય છે. જેનું શરીર કાયમ ખાતે ધર્મસાધન સિવાય બીજા ઉપયોગમાં ન આવતું હોય, તેનું જ શરીર ધર્મસાધન રૂપ ગણાય. દાખલા તરીકે સમજો કે મંદિરનો રથ બાર મહિનામાં બે-ચાર વાર પ્રભુના વરઘોડામાં નીકળે અથવા જેટલી વાર વરઘોડો નીકળે તેટલી વાર નીકળે અને શ્રીમંતની ઘોડાગાડી વગેરે પણ કદાચ વરઘોડામાં કેટલી વાર નીકળે, પણ રથ એ ધર્મક્રિયાનું સાધન છે અને ગાડી વગેરે ધર્મનું સાધન નથી ! બાર મહિનામાં એટલા દિવસ આવી એ ઠીક, પણ એથી કાંઈ એ ધર્મનું સાધન જ છે એમ નથી કારણ કે બાકીના દિવસોમાં તો તે સંસારની જ સાધનામાં ફરે છે. ને રથ તો એકાંતે જ્યારે પણ નીકળે ત્યારે પ્રભુના વરઘોડા માટે જ નીકળે. એથી ગાડી એ સાધન તો આશ્રવનું અને રથ એ સાધન સંવરનું તથા નિર્જરાનું ! ત્યારે કહો કોનું શરીર ધર્મનું સાધન ! પા કલાક પ્રભુને ચાંલ્લા કરી જાય અને વખતે પા કલાક અહીં પણ બેસી જાય તેનું ? નહિ જ, “શરીર ધર્મનું સાધન' - એ તો યાદ રાખ્યું, પણ એનો ભાવ ક્યાં એ વિચારશો તો સમજી શકાશે કે સંયમીનું શરીર ધર્મનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org