SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ઃ સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૧૩ મનુષ્યજન્મ છે, કારણ કે સ્વ અને પરનું હિત સાધવામાં જ મનુષ્યપણાની મહત્તા છે. સ્વ-પર હિતસાધના માટે મનુષ્ય બધું કરી શકે, પણ અહિત માટે કાંઈ ન કરી શકે. હિત માટે છાતી ઉપર પગ પણ મુકાય અને મોઢામાં લાકડું નાખીને પણ દવા પવાય, પણ હૃદયમાં હિતની જ ભાવના હોવી જોઈએ એ ગેરંટી. અહિત કરવા માટે કશી પણ છૂટ નહિ જ. આત્મા સંસારમાં ફસ્યો છે, અને સંસારમાં કોઈ ચીજ એવી નથી કે જે સીધી રીતે મુક્તિનું સાધન થાય. આત્મા જો ચીજના ગુણદોષને કળી જાય, એના દોષમાં ન ફસાય અને ગુણ મેળવી લે, તો તે ગુણના બળે મુક્તિનાં એકાંત સાધનો મેળવી, તે દ્વારા મુક્તિએ જાય એ બને. આથી સ્પષ્ટ જ છે કે પદ્ગલિક સ્વાર્થ માટે સામા સાથેનું એવું વર્તન તે દંભ ગણાય, પણ કેવળ છૂટવા માટે જ સ્વ અને પરહિત માટેના વર્તનમાં દંભ ન આરોપાય. જેનાથી છૂટવું છે તે તો બાંધવા માગે છે. માટે તેનાથી છૂટવા માટે સઘળું જ કરવું પડે, કારણ કે દુનિયાની બધી જ ચીજો આત્માને બાંધનારી છે. બાંધનાર પાસેથી છૂટવું હોય તો સાવધ તો બનવું જ પડે. છૂટવાની બધી કરામત તો કરવી જ જોઈએ. એ કરામત તે કપટ નથી, કારણ કે એમાં આપણું અને આપણા સહવાસમાં આવનારાઓનું પણ કલ્યાણ સમાયેલું છે. આથી જ આહારની મુનિને જરૂર હોય માટે મુનિ આહાર લે, પણ આહારના પુદ્ગલથી થતા ફેરફારને આધીન ન થાય : એટલે કે સ્વાદલુબ્ધ ન બને. તે સ્થિતિમાં ન આવે. અર્થાતુ-સ્વાદલુબ્ધ બનાય તે રીતે મુનિવરો આહાર ન લે જીભને સ્વાદ ન લગાડે, કેમ કે એ એમ માને છે કે, આહારનાં પુદ્ગલ ડુબાડનારાં છે. જે રીતે લેવાથી એ સંયમનાં સાધનભૂત છે તે રીતે ન લેવાય, ન લેવાય તો તે ભયંકર છે. આહારનાં પુદ્ગલો કાંઈ સંયમનાં સાધનભૂત નથી, પણ લેતાં આવડે તો તે તેવાં બની શકે છે. જે વસ્તુ તમને રોગરૂપ, તેને વૈદ્ય ઔષધરૂપ બનાવે છે. ત્રણ-ચાર ચીજ જુદી જુદી છે, જેમાંની એક વાયુ કરે છે, એક પિત્ત કરે છે અને એક કફ કરે છે : વૈદ્ય અમુક પ્રમાણમાં એ ચીજોની એવી મેળવણી કરે છે એ જ ચીજો સર્વ ઉપદ્રવ હરે. વૈદે શું કર્યું ? એ ચીજમાં રહેલો દોષ દૂર કરવા, એ દૂર થાય એટલા પ્રમાણમાં એમાં બીજી ચીજ મેળવી દોષ કાઢ્યો અને ગુણ સ્થાપ્યો. સુંઠ પિત્ત કરે છે અને ગોળ કફ કરે છે, જો અલગ હોય તો, અલગ એકલાં લેવાય તો, પણ એ બેય ચીજને રીતસર પ્રમાણમાં ભેળાં કરીને લેવાય તો ફાયદો થાય છે. એવી જ રીતે સંસારની બધી સામગ્રી છે એવી, પણ જો એને યોગ્ય રીતે ઉપયોગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy