________________
૧૧૨
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૪
-
– કa
છતાંય ધર્મ તો દાન જ : પણ લક્ષ્મી એ તો ધર્મ નહિ જ. શાસ્ત્ર દાન, શીલ તથા તપને ધર્મ કહ્યો, પણ લક્ષ્મી શરીર તથા ભોજનને ધર્મ ન કહ્યો. જો એ ત્રણને જ ધર્મ કહેવામાં આવે, તો તો આજે જે કાંઈ દાન વગેરે થોડું ઘણું પણ થઈ રહ્યું છે, થોડો ઘણો પણ સદાચાર, શીલ તથા સંયમ સચવાય છે અને થોડો ઘણો પણ જે તપ થાય છે, એમાંનું કશું જ ન થાય.
જગતના જીવો વગર કહ્યું પણ લક્ષ્મીને સારી તો માની જ બેઠા છે, કહ્યા વિના પણ શરીરને નવરાવી, ધોવરાવી અને એની શુશ્રુષા કરી રહ્યા છે અને ખાવાની બાબતમાં કેટલીય ચીજોનો, ભક્ષ્યાભઢ્યનો પણ વિવેક કર્યા વિના, ઉપયોગ કર્યો જ જાય છે. હવે દાનની માફક લક્ષ્મીને પણ ધર્મ અગર મુક્તિનું સાધન કહ્યું હોત, તો મૂઠી મજબૂત વળત કે પોલી થાત ? લક્ષ્મી એ મુક્તિનું સાધન નહિ, પણ એનો ત્યાગ એ મુક્તિનું સાધન છે. શરીર એ જ કેવળ મુક્તિનું સાધન નથી, પણ એના યોગે સેવાતું સંયમ એ જ મુક્તિનું સાધન છે, આહાર એ મુક્તિનું સાધન નથી, પણ આહારના ટેકે અણાહારી થવાની જે પ્રવૃત્તિ તે જ મુક્તિનું સાધન છે.
આજ તો કહે છે કે “જો સંસારની ચીજો મુક્તિમાર્ગના આરાધકને પણ જરૂરી હોય, ખપમાં આવતી હોય, તો તેનો નિષેધ કેમ જ થાય ? તેના તરફ અરુચિ કેમ હોય ? સાધુને પણ વસ્તી, વસ્ત્ર, આહાર, પાત્ર આદિ જોઈએ તો છે. તો પછી તેના તરફ અરુચિ કેમ ? સામગ્રી વિના મુક્તિમાં કોઈ પણ જાય ? નહિ જ, એને જોઈએ તો બધું જ, આલંબન બધાનું અને એ બધું મળે લક્ષ્મીથી, તો લક્ષ્મીની અવગણના કેમ ?' - આવી જાતના મોટા પ્રશ્નો આજ સામે ધરાય છે, તેની સામે શાસ્ત્ર કહે છે કે એ જ ખૂબી છે અને વાત પણ ખરી છે, કારણ કે કોક વખતે દુશ્મન પાસે પણ કામ લેવું પડે છે : કોઈ કોઈના પંજામાં ફસી પડ્યો હોય અને સલામ ભર્યું છૂટાતું હોય તો તેમ પણ કરવું પડે, તે છતાંય હૃદયમાં માનવાનું શું ?
સભા : એમાં દંભ તો નહિ ને ?
સામાનું ભૂંડું કરવાની ભાવના થાય તો દંભનું આરોપણ થાય, પણ સામાના ભંડાની ભાવના નથી ત્યાં દંભનું આરોપણ નથી થઈ શકતું. જ્યાં પોતાનું અને બને તો સામાનું પણ હિત સાધવું એ જ એક ભાવના હોય, ત્યાં દંભનું આરોપણ ન હોય. સ્વ સાથે બને તેટલું પરનું હિત સાધવા માટે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org