________________
(ા
૮: સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? - 58 ૧૧૧
આપઘાત કરવાથી પણ તે છોડાતું નથી. શરીર છોડવાનું કહેવાનો ઇરાદો તો એ છે કે એ એવી રીતે છોડવું જોઈએ કે ફરી વળગે જ નહિ. અને એ અવસ્થા તે મુક્તાવસ્થા. આથી સ્પષ્ટ જ છે કે દુનિયાનાં સાધનને મોક્ષનાં સાધનમાં ગણી શકાય નહિ. એકાંતે મુક્તિનાં કારણ હોય તેને જ મુકિતનાં સાધન મનાય.
શરીરથી કેટલાક મુક્તિને પણ સાધે છે અને કેટલાક નરકને પણ સાધે છે, માટે એ મુક્તિનું જ સાધન ન કહેવાય : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર, એ જ મુક્તિનાં સાધન કહેવાય. સંસારના તથા મુક્તિનાં સાધન અલગ છે, માટે તેને નિરાળાં જ રાખવાં જોઈએ : એની ભેળસેળ ન કરાય : કારણ કે ભેળસેળ કરવાથી એક પણ ન સધાય, બેય બગડે. સ્વર્ગ તથા અપવર્ગ મોક્ષ તથા તેનાં કારણો, તેમ જ સંસાર અને તેનાં કારણોને આવરણ વિનાના જ્ઞાનથી એટલે કેવળજ્ઞાનથી જે સમ્યફ પ્રકારે જાણે, તે જ ધર્મનું નિરૂપણ કરી શકે અને તો જ એ નિરૂપણ વાસ્તવિક થાય.
પ્રભુએ તીર્થસ્થાપના કરી અને ધર્મદેશના દીધી, પણ તેમાં કહ્યું શું? સંસાર ત્યાજ્ય છે , માટે સંસારનાં સાધનોથી બચો અને મોક્ષ પર પ્રીતિ કરો તથા મોક્ષનાં કારણોમાં યોજાઓ અને તે માટે સંયમમાં આવો. સંસારમાં સુખ નથી પણ દુઃખ છે, એટલું જ નહિ પણ સંસાર દુઃખમય છે, દુઃખનાં ફળરૂપ છે અને દુઃખની પરંપરાવાળો છે, માટે મોક્ષની ઇચ્છાવાળાએ હૃદયથી સંસારને ખસેડવો જ જોઈએ. સંસારનાં જેટલાં સાધન હોય તેટલાંથી આઘા જ રહેવું જોઈએ અને દૃષ્ટિ મોક્ષ તરફ જ વાળવી જોઈએ તથા આત્માને મોક્ષના સાધનોમાં જોડી દેવો જોઈએ.
આ જ કારણે અનંતજ્ઞાનીઓએ પણ દાનને જ ધર્મ કહ્યો છે, પણ લક્ષ્મીને ધર્મ નથી કહ્યો : શીલને કહ્યો છે, પણ શરીરને ધર્મ નથી કહ્યો : તપને ધર્મ કહ્યો છે, પણ ખાવાને ધર્મ નથી કહ્યો. ઉપવાસ કરવાને આગલા દિવસે માલ અને તે પણ ખૂબ ખાવો, એ તો કોઈ જુદી જ કોટિની વાત છે. પણ અહીં તો એ મુદ્દો છે કે માસખમણ, કે બે માસ કે ચાર માસનો તપ કરનારને પણ, વચ્ચે પારણાનો ટેકો તો ખરો જ ને ! છતાં ધર્મ તો તપ જ, પણ આહાર તો ધર્મ નથી જ. શીલ તથા સદાચાર માટે શરીરમાં કૌવત જોઈએ, પણ ધર્મ તો શીલ જ. શરીરની સેવા એ તો ધર્મ નહિ જ. લક્ષ્મી વિના તેનું દાન પણ ન થાય, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org