SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૮: સંસારનાં સાધનોને મોક્ષનાં સાધનો કોણ બનાવી શકે? 58 • સાધનનો સદુપયોગ પણ સુસાધનવાળો - ધર્મસાધન કહી એને અધર્મનું સાધન બનાવવું આત્મા જ કરી શકે : એ ભયંકર દંભ છે ! • કોનું શરીર ધર્મસાધન કહેવાય ? • જીભની લોલુપતાના પરિણામે : • દાનનું કારણ લક્ષ્મીનથી, પરંતુ લક્ષ્મીની તેટલા પ્રમાણમાં મૂર્ધાનો અભાવ એ કારણ છે ! વિષયઃ સંસાર અને મોક્ષનાં સાધન અંગેની વિચારણા. સાધકની યોગ્યતા. ગત પ્રવચનોમાં ચાલુ કરેલો આ વિષય અહીં પણ યથાવત્ આગળ વધે છે. થોડાંક વધુ દિષ્ટાંતો ને થોડીક વધુ દલીલો સાથે વિષયને ખૂબ જ મજાની રીતભાતથી પ્રવચનકારશ્રીએ એને ખીલવ્યો છે. ભગવાનનો રથ પણ વરઘોડામાં વપરાય, શેઠની મોટર પણ વરઘોડામાં વપરાય. બંનેનો ત્યાં વપરાશ વરઘોડામાં થાય છતાં રથ મોક્ષનું સાધન જ્યારે મોટર તો સંસારનું જ સાધન. કારણ રથ વપરાય તો વરઘોડામાં જ, બીજે નહિ. જ્યારે મોટર તો વરઘોડામાં કોકવાર વપરાય બાકી બારે માસ સંસાર માટે જ દોડે. હા, વાપરનાર એની આવડતના યોગે એનો ધર્મમાર્ગે ઉપયોગ કરી દે તેમ બને. પણ તેટલા માત્રથી જ એ સાધન તો ધર્મ-મોક્ષનું ન જ કહેવાય. આ વિવેક દર્શાવતું આ પ્રવચન દરેક સાધકે જરૂર મનનપૂર્વક વાંચવું જ રહ્યું. અત્રે, આનંદ, કામદેવ, કૃષ્ણ મહારાજા તેમજ અભયકુમારનાં પ્રાસંગિક વર્ણનનો ઉપયોગ પણ સુંદર થયો છે. મુવાક્યાતૃત • એકાંતે મુક્તિનાં કારણ હોય તેને જ મુક્તિનાં સાધન મનાય. • સ્વ સાથે, બને તેટલું પરનું હિત સાધવા માટે તો મનુષ્યજન્મ છે, કારણ કે સ્વ અને પરનું હિત સાધવામાં જ મનુષ્યપણાની મહત્તા છે. જેનું શરીર કેવળ સંયમની સાધનાના કામમાં જ નિયત થાય અને બીજી પ્રવૃત્તિ કરે તે પણ એને અંગે જ તો તેનું શરીર, કહોને સંયમીનું શરીર ધર્મસાધન ગણાય. ૦ સંસારમાં મોક્ષ નથી અને મોક્ષમાં સંસાર નથી. જ્યાં જડનો યોગ તે સંસાર, તે મોક્ષ નથી. જેને મોક્ષ જોઈએ તેને જડનો યોગ ઇષ્ટ ન જ હોય. એ જડનો સંયોગ ઇચ્છે, તેને મુક્તિનો ઇચ્છનાર ન કહેવાય. • તમારી પાસે આવેલી લક્ષ્મીને મોક્ષની સાધનામાં ઉપયોગી બનાવવાની અમારી ભાવના છે, પણ સાધના માટે લક્ષ્મી મેળવવા અને તે ખાતર આરંભ, સમારંભ અને પરિગ્રહ કરાવવાની ભાવના નથી. • જેમ વ્રતરક્ષા વધુ તેમ ધર્મમાં સ્થિરતા વધુ. • બધા માર્ગાનુસારી બની જાય તોય દુનિયામાં થતા ગુનાઓ બંધ થઈ જાય. • ઇરાદાપૂર્વક મિથ્યાત્વ સેવે ત્યાં શ્રાવકપણું રહે જ નહિ. દેવ-ગુરુ-ધર્મની ઠેકડી કરે, પૂર્વાચાર્યોને નિંદે, તે તો ઘોર મિથ્યાદૃષ્ટિ ! એમનો તો સહવાસ પણ સારો નહિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy