SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - SES બંધનનાં દોરડા વધારે તે ગુરુ નહિ! બાકી આજ તો જ્ઞાનના નામે, જ્ઞાનના બહાને એવી છૂટ લેવામાં આવે છે, કે જે છૂટ અજ્ઞાની પણ નથી લેતા. અજ્ઞાની તો એટલે અંશે કદાચ સારા કહેવાય કે શાસ્ત્રની વાત આવે ત્યાં કહી દે છે કે “અમે નથી જાણતા.” પણ આજના આડંબરી જ્ઞાનવાળાઓ તો કહે છે કે “મને શું વાંધો ?” આમ ને આમ ચાલે તો તો એના નિમિત્તે હજારો આદમી ઉન્માર્ગે જાય. આથી જ શાસ્ત્ર કહ્યું કે તત્ત્વજ્ઞાની તે, કે જે મનથી ખરાબ ચિંતન ન કરે, હૃદયમાં નકામા વિચારો પેદા થવા જ ન દે, કદાચ ચિત્ત શુદ્ધ ભાવનાથી સુવાસિત ન રહે અને ખરાબ વિચાર થઈ જાય, તો પણ તેવા વિચારોને વાણીમાં તો ન જ ઉતારે અર્થાત બોલે નહિ અને મૂર્ખની સોબતથી કદાચ બોલી જવાય, તો પણ વર્તાવ તો ખરાબ કરે જ નહિ. છતાં જો એ કરે, તો તો તે તત્ત્વજ્ઞાની જ નહિ. કારણ કે એમ કરવાથી તો જ્ઞાની અને અજ્ઞાની બેય સરખા જ થયા ગણાય. જ્ઞાનીથી અજ્ઞાની જેવી ચેષ્ટા થાય જ કેમ ? ધર્મ કહેવરાવવું અને અધર્મથી ડરવું નહિ, એ બને કેમ ? મુક્તિએ જવાનું કહેવું અને સંસારના સંગથી તસુભર ખસવું નહિ, એ કેમ ચાલે ? પોતાની જાતે જ થાંભલે વળગવું અને ‘છોડાવો' એવી બૂમ મારવી, એ કેવું વિપરીત કહેવાય ? વધુમાં કોઈ છોડાવવા આવે, તો પાછા થાંભલાને જોરથી બાઝવું એ કેવું ? હું તમને પૂછું છું કે “તમે જાતે બંધાયેલા છો કે તમને કોઈએ બાંધેલા છે ?” “કર્મથી બંધાયેલા છો' - એ વાત તો માની, પણ તમારા પ્રયત્નો બાંધવાના ચાલુ છે કે છૂટવાના ચાલુ છે ? છૂટવાની ભાવનાવાળા આત્માઓની મનોદશા કેવી હોય, એ કદી વિચાર્યું છે ? એની કાર્યવાહી શી હોવી ઘટે, એ કદી શોચ્યું છે ? સંસારનું સ્વરૂપ કેવું છે, એ જાણો છો ? એક મકાન વચ્ચે એક થાંભલો છે. તેમાં એક આદમીને દોરડાથી મજબૂતપણે બાંધ્યો છે. એવામાં ચારે તરફ અગ્નિ સળગ્યો અને એને માલૂમ પડ્યું કે ચોતરફ અગ્નિ સળગ્યો. તે વખતે એનું શું થાય ? તેને મનથી એમ જ થાય કે “હું કયારે છૂટું !- વચનથી બોલે કે “કોઈ આવો, કોઈ આવો : મને એકદમ છોડાવો, બળી ગયો રે !” અને કાયાથી પણ બાંધેલું દોરડું ઢીલું કરવા તમામ કોશિશ કરે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy