SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ 565 ૩ : એ સડાને દૂર કરો ! - 40 આ ઉપરથી સ્પષ્ટ જ છે કે જ્ઞાન એ આડંબર કરવા માટે કે અડંગા જમાવવા માટે નથી જ પરંતુ તેની પ્રાપ્તિ દ્વારા મન, વચન અને કાયા ઉપર મજબૂત કાબૂ મેળવી કર્મક્ષય કરવા માટે છે, અને જ્ઞાન દ્વારા કર્મક્ષયરૂપ સાધ્યની સિદ્ધિ તે જ આત્માઓ કરી શકે છે, કે જેઓ પોતાના મન, વચન અને કાયાના યોગોને અંકુશમાં રાખવાના પ્રયત્ન તો કર્યા જ કરે. તે જ જ્ઞાની તેવી રીતે કર્મ ખપાવવાની તાકાત ધરાવે છે, કે જે ત્રણે યોગોને કાબૂમાં રાખી શકે. ૩૭ ‘ત્રણે યોગ ફાવે તેમ કરે, તેમાં મને શું ?' - એમ જ્ઞાનીથી કહેવાય જ નહિ. મનને ગમે તે મન કરે, વચનને ફાવે તેમ એ બોલે અને કાયાને ગમે તેમ તે કરે' - આવાં વચન જ્ઞાનીના મુખમાંથી કદી જ ન નીકળે. મન, વચન અને કાયા, એનું કામ કરે છે એવો બચાવ પણ જ્ઞાની તો ન કરે. વ્યવહારમાં પણ ગુનો કર્યા પછી એમ કહો કે ‘ગુનો આત્માએ નથી કર્યો, પણ શરીરે કર્યો છે' તો ન્યાયાધીશ પણ કહે કે ‘અમે સજા પણ કાયાને કરીએ છીએ, ત્યાં વાંધો શો ?’ જ શ્રી તીર્થંકરદેવો પણ ભોગને રોગ પરે ચિંતવી ભોગવતા. તે જ્ઞાની મહાપુરુષ તો એમ કહી પણ શકે કે ‘આત્માથી ભોગ નથી ભોગવ્યા; પણ શરીરથી ભોગવ્યા છે.’ કારણ કે એવી જ રીતે ઉપસર્ગ સહન કરવા પણ તેઓ તૈયાર હતા. ઉપસર્ગ વખતે તે મહાપુરુષો શરીરનો જરા પણ બચાવ નહોતા કરતા અને પગ ઉપર ખીર રંધાણી, કાનમાં ખીલા ઠોકાણા તથા શરીરથી એવાં એવાં અનેક ભયંકર કષ્ટો સહ્યાં ! પણ જેઓ આજે એક નાના કાયોત્સર્ગમાં અથવા બીજી અવસ્થામાં, એક નાના જંતુના સ્પર્શને પણ નથી સહી શકતા અને ઊલટા તે જંતુની કમબખ્તી કરી નાખે છે, તેવાઓ એમ કહે કે ‘લુખ્ખા મનથી દુનિયાની કાર્યવાહી અમે કરીએ છીએ' તે કેમ મનાય ? અર્થાત્ ન જ મનાય. આથી સ્પષ્ટ છે કે, જેઓ યથેચ્છપણે મન, વચન અને કાયાના યોગોને પ્રવર્તાવે છે અને ઉપરથી ‘જ્ઞાન થયા પછી મન, વચન, કાયા ગમે તેમ વર્તે તેમાં શું ?” આ પ્રમાણે કહે છે, તેઓ ઇરાદાપૂર્વક પાપના માર્ગને પોષનારા છે. હજુ એમ કહે કે ‘મેં જાણ્યું છે, પણ હજી મન, વચન, કાયાના યોગ ઉપર સ્વામિત્વ નથી મેળવ્યું.' તો તો એ વાત જુદી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy