SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 557 ૨ ઃ ચડનારને ચડવા દો. પાડો નહિ : - 39 - ૨૯ ત્યાં આહાર લેવા ગોચરીએ આવ્યા હતા, પણ તમે અહીં આવવાની ધમાલમાં એમને જોઈ ન શક્યાં, તેઓ તો પારણું કરી વૈભારગિરિ ઉપર ગયા અને ત્યાં અનશન લીધું છે.” ત્યાંથી માતા તથા બત્રીસે સ્ત્રીઓ રોતી રોતી વૈભારગિરિ ઉપર જાય છે. ત્યાં જઈને પણ સખત આકંદ કરે છે. એવું રુદન કરે છે કે પક્ષીઓ પણ રોવા લાગ્યાં. વિલાપ કરતી માતાને શ્રી શ્રેણિક મહારાજા તથા શ્રી અભયકુમાર કહેવા લાગ્યા કે “હે જગતપૂજ્ય જનની ! જેનો આવો પુણ્યશાળી દીકરો અને જમાઈ, તે આવે સમયે આક્રંદ કરે ? અત્યારે આ બેય પુણ્યશાળીઓ, ભગવાન શ્રી મહાવીરદેવના શિષ્ય તરીકે મુક્તિમાર્ગની આરાધના કરી રહ્યા છે. હે માતા ! તમે પ્રભુના માર્ગને સમજો છો, તમારાથી આમને મોક્ષમાર્ગની કાર્યવાહીમાં વિઘ્ન કરાય ? એમનો માર્ગ નિર્વિઘ્ન થાય એવા આશીર્વાદ આપો !' તેત્રીસેનાં આંસુ સુકાઈ ગયાં. આજના કહેવાતા સુધારકોમાંનો કોઈ ત્યાં હોય તો ? તમારામાં પણ જે કોઈ એવા છે, એમાંનો કોઈ ત્યાં ભૂલેચૂકે ભેટી ગયો હોય તો? શું કહે ? એ જ “છે કાંઈ દયા? મા રડે છે તોયે હૈયું પીગળે છે? દીકરા આવા હોય ? આ ધરમ ? આવો ધરમ કોણે કહ્યો ? શિખવાડ્યો કોણે ?” આ પ્રમાણે કહી ભેગા પોક મૂકે. પણ આ કોણ હતા ? શ્રી શ્રેણિક મહારાજા અને શ્રી અભયકુમાર. બન્ને ભગવાન શ્રી મહાવીરદેવના માર્ગના મર્મને સમજનારા અને સાચા ભક્ત હતા. પડતાને ચડાવવા એ આનું નામ. શ્રી શ્રેણિક મહારાજા તથા શ્રી અભયકુમાર બન્નેય ક્રિયાની અંતિમ આરાધનાનું સ્વરૂપ સમજતા હતા. આ પ્રસંગે વિલાપ ચાલુ રહે, અનશન કરનારનું ધ્યાનભગ્ન થાય, તો સમીપ રહેલી સદ્ગતિ ઊડી જાય અને ઊલટી ગતિ બગડે. એટલે શ્રી શાલિભદ્રજીની માતાને સ્તુતિ દ્વારા માર્ગનું ભાન કરાવ્યું અને એ પુણ્યશાળી માતાએ પણ એકદમ વિલાપ બંધ કરીને કહ્યું કે “તમે ભગવાન શ્રી મહાવીરના પુત્રો છો. આત્માને માટે આ જ માર્ગ શ્રેયસ્કર છે. અમારા આકંદમાં પણ તમે અડગ રહ્યા, એ જોઈ આનંદ થાય છે. તમારો માર્ગ નિર્વિઘ્ન હો ! વિલાપ કરી તમારી કરેલી આશાતનાની માફી માગીએ છીએ.” કેવી ઉમદા ભાવના થઈ ? પ્રતાપ કોનો ? શ્રી શ્રેણિક મહારાજ તથા શ્રી અભયકુમારનો ! માટે કહું છું કે ચડાવો, ચડવાની સલાહ આપો, ચડતાને સહાય કરો, એ ન બને તો ચડતાને પગ પકડીને નીચે તો ન જ પટકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy