SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – - 55s પમાડતા. છેલ્લે એક દિવસ એક મળ્યો. એ દિવસે નવ તો ગયા, પણ એક માને નહિ. એ એક કહેવા લાગ્યો કે, “બધી વાત સાચી, સંસાર ખોટો, વિષયો વિષ જેવા. બધું કબૂલ, પણ તમે કેમ પડી રહ્યા છો ?” શ્રી નંદિષેણે સમજાવ્યું કે કર્મોદયે પતિત થયો છું, પણ માર્ગ એ છે.” રકઝક ચાલી. રસોઈ તૈયાર થઈ એટલે વેશ્યા બોલાવવા આવી કે, “રસોઈ કરી જાય છે, જમવા ચાલો, ક્યાં સુધી રકઝક કરશો ?” શ્રી નંદિષેણે કહ્યું કે “આ દશમો માનતો નથી.” વેશ્યાએ કહ્યું “દશમા તમે થાઓ. શ્રીનંદિષણને ધર્મ પ્રત્યે રાગ તો હતો જ, માત્ર નિમિત્તની જ જરૂર હતી. તરત ઊભા થયા, વેષ પહેર્યો, વેશ્યાએ ઘણું કહ્યું, પણ હવે એ ઓછા જ પાછા વળે ? તરત ગયા. ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત લઈ, આલોચના કરી, ફરી દીક્ષા લીધી. ચડે એ પડે પણ ખરા, માટે ચડીને પડેલાની ઠેકડી કરવા કરતાં ચડનારાનાં દૃષ્ટાંતો જુઓ. ચડનારાની ભાવનાવાળાને ટેકો આપો. ચડવું સારું એમ માનો. ચડતાને ચડવા દો ને પડતાને ઝીલો ! ચડેલાને હાથ જોડો, ઝૂકો. ચડવા ઇચ્છનારને સલાહ આપો, પ્રેરણા કરો, સહાય આપો, સામગ્રી આપો, ગબડે તો ઝીલો. શ્રી મેઘકુમાર જ્યારે દીક્ષાની રજા લેવા આવે છે, ત્યારે માતા કહે છે કે “આ પડ્યા, તે પડ્યા ત્યારે શ્રી મેઘકુમાર કહે છે કે “મા ! તને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાંથી આ જ દૃષ્ટાંત જડ્યાં ? હજારો, સંખ્યાબંધ ચડ્યા, ચડી રહ્યા છે તે ન દેખાયા ?” આવું કહેનાર શ્રી મેઘકુમાર પહેલી રાત્રે પડ્યા અને ભગવાને ટકાવ્યા, પણ ભગવાને એમ તો ન જ હ્યું કે “તું તારી માને મોઢે તો ડાહી ડાહી વાતો કરતો હતો અને આમ કેમ ? જા, જા પાળ્યું એ તો!” પણ ભગવાને તો એમને ટકાવી લીધા અને તરત જ શ્રી મેઘકુમારે આંખો સિવાય શરીર માત્રની પરિચર્યા ન કરવાનો અભિગ્રહ કર્યો. ચડતાના પગ ન ખેંચો ! વૈિભારગિરિ પર શ્રી શાલિભદ્રજી તથા શ્રી ધન્નાજીએ અનશન કરેલ છે, તે વખતે શ્રી શાલિભદ્રજીની માતા પોતાની પુત્રવધૂઓ સાથે વંદન કરવા ભગવાન પાસે આવે છે. ત્યાં શ્રી શાલિભદ્રજી તથા શ્રી ધન્નાજીને ન જોતાં, ભગવાનને પૂછ્યું, ભગવાને અનશનની વાત કરી. ભગવાને કહ્યું કે, “તમારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy