SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ કકક - ૨ ઃ ચડનારને ચડવા દો. પાડો નહિ ? - 39 – – ૨૭ શ્રી નંદિષણે અર્થલાભ દીધો તો ઓઘો ખીંટીએ મૂકી વેશ્યાને ત્યાં રહ્યા, અને સંયમથી પતિત થયા. લબ્ધિના જોરે સાડાબાર કરોડ સોનૈયા વરસાવ્યા, વેશ્યા વળગી, “હવે તો અહીં રહીને ભોગવો, નહિ તો આ સોનૈયા ગાડાં ભરીને સાથે લઈ જાઓ !” મુનિ નમેલા તો હતા જ, વધુ નમ્યા. ત્યાં બેઠા. વેષ દૂર કર્યો. પણ ચડેલા હતા, વર્ષો સુધીની આરાધના હતી, એના યોગે આત્મા ડંખ્યો, અને પરિણામે અભિગ્રહ કર્યો કે “રોજ દસને આ ચારિત્રના, પ્રભુમાર્ગના રંગી બનાવું નહિ, ત્યાં સુધી જમું નહિ ! પડતાને ટેકો આપો ! હવે વિચારો કે સાધુપણું મૂકીને વેશ્યાને ત્યાં બેઠેલા પણ આ ચારિત્રના રાગીને આવો નિયમ હોય તો સાધુપણામાં રહેલાને આ સંયમ આપવાની, આ કોઈ લે તેવા પ્રયત્નો કરવાની, ઓઘો વારંવાર બતાવવાની, આ વસ્તુ તરફ આકર્ષવાની ભાવના થાય અને એમ વર્તે, તો એમાં “આની ઓઘો વારંવાર બતાવવો એ ઓઘાની આશાતના છે', એમ એક સાધુએ કહ્યાની વાત આવી હતી. આશાતના શી ? વેશ્યાને ત્યાં રહેનારની આ ભાવના શાથી? કહેવું પડશે કે સ્વાદ ચાખીને આવ્યા હતા એથી. એથી જ એમને એમ થયું કે એ સ્વાદ ચાખવા બીજાને પણ મોકલું. તો મુનિપણામાં સ્થિર રહેલ મુનિ ઓઘો બતાવે, ઓઘો યાને રજોહરણ આપવાના પ્રયત્નો કરે, એ તરફ આકર્ષે, એમાં આશાતના શી? આ મુનિપણાનો વેષ તો શ્રાવકે ઘરે રાખવો જોઈએ. એ તમે રાખવો બંધ કર્યો, માટે મેં બતાવવો શરૂ કર્યો છે. શાસ્ત્ર કહે છે કે શ્રાવક ઘેર આ વેષ રાખે, પૂજે, હાથ જોડે, ભાવના કરે કે ક્યારે પાકું ? આ રીત તમે બંધ કરી, એટલે મેં બતાવવું શરૂ કર્યું. એમાં આશાતના શી ? નંદિષેણે સંયમ મૂક્યો, પણ સંયમના રસિયા હતા. વેશ્યાને ત્યાં રહી દશને પ્રતિબોધે એ હૈયામાં વૈરાગ્ય કેટલો ભર્યો હશે? શ્રાવકની કે સાધુ થનારની કે સાધુની ભાવના શુદ્ધ જોઈએ. સંસારમાં અસારતાની માન્યતા જોઈએ. રોજ સંયમશુદ્ધિની ભાવના જોઈએ, હૈયાં શુદ્ધ જોઈએ. વિનયરત્નની જેમ કપટથી ચારિત્ર પાળનાર ન જોઈએ. શ્રી નંદિષેણ ઘણા વખત સુધી એ રીતે રહ્યા અને રોજ દશને પ્રતિબોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy