SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : ચડનારને ચડવા દો, પાડો નહિ આચારશુદ્ધિ વિના સમ્યક્ત્વ ટકે નહિ : સમ્યગ્દષ્ટિ : 39 ♦ મુનિ, ગૃહસ્થ કરતાં ઊંચી કોટિના શાથી ? • પ્રાયશ્ચિત્તની યોજના શા માટે ? ♦ નિંદાપાત્ર કોણ ? ચડીને પડેલો કે નહિ ચડેલો ? ♦ ♦ સાધુ દરેકને ધર્મલાભ જ આપે : ♦ સમ્યગ્દષ્ટિ ભાવિને જ પ્રધાનતા ન આપે : મુનિને ધર્મદાનનો જ અધિકાર છે : ♦ પડતાને ટેકો આપો ! ♦ ચડતાના પગ ન ખેંચો ! વિષય : ચડેલો કે ચડનારો જ પડે, નહિ ચડનારો તો પડેલો જ છે. પતન અને પુનરુત્થાન : સાધનાજીવનનાં બે પાસાં આ સંપૂર્ણ પ્રવચન આપણા આત્માની અનાદિની તાસીર ઉપર વિવેચના પ્રસ્તુત કરે છે. અનાદિકાલીન સંસ્કારોના કારણે સાધનાજીવનની શરૂઆત કરી વિકાસનાં સોપાન સર કરતો આત્મા પણ પડે તેમ બને છે. એવે અવસરે એ આત્માએ શું કરવું જોઈએ ? અન્યોએ એના પ્રત્યે કેવો વ્યવહા૨-ભાવ રાખવો જોઈએ અને પડવાનાં નિમિત્તોથી સતત કઈ રીતે બચ્યા કરવું તેમજ ચડવાના નિમિત્તોને કઈ રીતે વળગી રહેવું ? - વગેરે સાધનાજીવનની અંતરંગ વાતોનો ખુલાસો અત્રે પદ પદમાં પ્રાપ્ત થાય છે. નંદિષણના દૃષ્ટાંતને ખૂબ સૂક્ષ્મતાથી એ જ પરિપ્રેક્ષ્યમાં વિચાર્યું છે. અંતે શાલિભદ્ર અને ધનાજીને સાધનમાં વિઘ્નભૂત બનતા પરિવારને શ્રેણિક મહારાજા અને અભયકુમાર કેવી રીતે વાળે છે અને ચડતાને પ્રે૨ક આલંબન પૂરું પાડે છે એ વાત સાથે પ્રવચન પરિસમાપ્ત થયું છે. સુવાવાસ્તૃત ♦ પરતંત્રતાનાં બંધન છૂટ્યા સિવાય સ્વતંત્ર કઈ રીતે થવાય ? ૭ ચડતાને પડવાની બીક હોય, ચડે જ નહિ એને બીક શી ? ♦ મુનિની પાસે જે આવે તે બધાને ધર્મલાભ દે. ♦ પૂરતો પ્રયત્ન કરવા છતાં વિપરીત થાય તો સમજવું કે ભાવિ ભયંકર હતું. ♦ માગનારાને રાજી રાખવા માટે જે પોતાપણું ગુમાવે છે, તે ખરેખર બધું જ હારી જાય છે. ♦ સાચો ગૃહસ્થ પણ અર્થ-કામ દેવાનો રસિયો ન હોય. અર્થ દે તે પણ ભક્તિ માટે, સામાના શ્રેય માટે, સામાને ધર્મમાં સ્થિર કરવા માટે ! ♦ મુનિ, ધર્મ સિવાય અર્થ-કામ વગેરે દેવા જ માંડે, તો દાતાર મટી ઘાતક થઈ જાય. • ચીજ બધી દેવાય, પણ સામાનું એકાંતે કલ્યાણ થાય તેવી. ♦ ધર્મનું સેવન અને ધર્મનો પ્રચાર એ જ મુનિનું ધ્યેય હોય છે. ♦ તમારી દુનિયાની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર મુનિને નથી તેમ તમારાથી મુનિને એમાં ન જ નાખી શકાય. Jain Education International ♦ આ મુનિપણાનો વેષ તો શ્રાવકે ઘરે રાખવો જોઈએ, એ તમે રાખવો બંધ કર્યો, માટે મેં બતાવવો શરૂ કર્યો છે ! ૦ ચડતાને ચડવા દો ને પડતાને ઝીલો ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy