SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ ત્યાં અત્યાચાર કરવા આવે ? હજી પણ કહું છું કે સ્થાનમાં નહિ રહો તો રાજભ્રષ્ટ થશો !” આ સાંભળી રાજાની વિષયવાસના મરી ગઈ. ૧૬ સ્ત્રીએ ‘હે ભાઈશાબ' કર્યું હોત, તો શું થાત ? સ્ત્રીની ઇંદ્રિયો પોતાના કાબૂમાં ન હોત તો પરિણામ ભયંકર જ આવત. આથી સ્પષ્ટ જ છે કે જિતેન્દ્રિય બેયનું રક્ષણ કરી શકે. સ્ત્રીના હૃદયમાં શિયળનો રંગ હતો, ધર્મનો રંગ હતો, અને દુનિયાની વસ્તુને એ તુચ્છ સમજતી હતી, તો જ આ સુપરિણામ લાવી શકી. રાજા : “તું દેવી છો.” સ્ત્રી : “નહિ રાજન્ ! હું માનુષી છું.” રાજા : “કોઈ જાણે નહિ.” 544 સ્ત્રી : “આપ, હું અને મારા માલિક તો જાણે છે જ. તેઓ કળી ગયા છે. બીજું કોઈ નહિ જાણે.” રાજા : “મારી ભૂલ થઈ.” સ્ત્રી : “તમે ભૂલ સુધારી એટલે હવે તમે માલિક (રાજા) થયા. અત્યાર સુધી લૂંટારા હતા. રાજન્ ! હું તમારી દીકરી છું, બાળક છું, અવજ્ઞા માફ કરજો ! સ્ત્રીના જિતેન્દ્રિયપણાએ બેયનો ધર્મ સાચવ્યો. પ્રાણીમાત્રના શિર ઉપર અંકુશ હોવો જ જોઈએ. અંકુશ વિનાના માનવી એ વસ્તુતઃ માનવી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy