SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશાસનની જૈન શાસનની સ્થાપના કરી, નિવૃત્તિમાર્ગનું પ્રતિપાદન કરે છે. સર્વ પદાર્થોની પ્રરૂપણા કરે છે અને મિથ્યામાર્ગનું ઉમૂલન કરે છે. ચાલુ અવસર્પિણીના પાંચમા આરામાં પરમ તીર્થંકરદેવ શ્રીમદ્ મહાવીર વિભુએ સ્થાપેલું શ્રી વીર શાસન આજે પ્રવર્તી રહ્યું છે. શ્રી તીર્થંકરદેવના પટ્ટશિષ્યો શ્રી ગણધર ભગવાન કહેવાય છે અને તેઓ પ્રવ્રક્નિ થયા બાદ પ્રભુને પૂછે છે કે - “મજાવં ! કિં તત્ત?” – “પ્રભો! તત્ત્વ શું? – ત્યારે પ્રભુ એ પ્રશ્નના ઉત્તરમાં ફરમાવે છે કે : “વફા ” – “ઉત્પન્ન થાય છે.” – આથી ગણધર ભગવાન પુનરપિ એનો એ પ્રશ્ન પૂછે છે, ત્યારે પ્રભુ ફરમાવે છે કેઃ વિખેર વા" – નાશ પામે છે.' – આ પછી ગણધરદેવ ત્રીજી વાર એ જ પ્રશ્ન કરે છે, ત્યારે પ્રભુ ફરમાવે છે કેઃ “યુવેર વા” – સ્થિર રહે છે.” આટલી ત્રિપદી ઉપરથી શ્રી ગણધર ભગવાન દ્વાદશાંગીની રચના કરે છે. એ દ્વાદશાંગી પૈકીનું પહેલામાં પહેલું અંગસૂત્ર તે “શ્રી આચારસંગ છે. આના મૂળ કહેનાર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ : તેની રચના કરનાર પ્રભુના પાંચમાં ગણધર શ્રી સુધર્માસ્વામીજી : નિર્યુક્તિની રચના કરનાર શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી અને તેની “શ્રી ગંધહસ્તિઓએ રચેલા શસ્ત્ર પરિણાવિવરણ ઉપરથી ટીકા રચનાર શ્રી શીલાંકસૂરિજી મહારાજા છે. આ ગ્રંથમાં ચરણકરણાનુયોગનું વિવેચન છે. આ ગ્રંથના અવલંબન દ્વારા પૂ. પ્રવચનકાર મહર્ષિએ આ ગ્રંથમાં પ્રકાશિત થતાં વ્યાખ્યાનો આપ્યાં છે. શરૂમાં ટીકાકાર મહર્ષિએ મંગલાચરણ રૂપે કરેલી તીર્થની સ્તુતિના વિવેચન દ્વારા તીર્થ કોને કહેવાય, તે કેવું છે અને તેને સેવનાર કઈ રીતે સેવે, એ પૂ. પ્રવચનકાર મહાત્માએ સમજાવેલ છે. આ પછી શાસ્ત્રોના રહસ્યને ક્લદીથી સમજાય તે માટે તેઓશ્રીએ વચ્ચે જ શ્રી જયવીયરાય સૂત્ર ઉપાડ્યું છે અને તેમાં રોજ સાધુ અને શ્રાવક દ્વારા પ્રભુ પાસે કરાતી માગણીઓનો રહસ્યમય ઉક્ત દર્શાવ્યો છે. આ પછી મંગલાચરણ બાદ ટીકાકાર મહર્ષિએ કરેલ અભિધેય, સંબંધ અને પ્રયોજ્યનું કથન પણ કેટલી બોધકતાભર્યું છે એ ગ્રંથ અને ગ્રંથકાર 43. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy