SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કદી જ નહિ કહેવાય. જે વિદ્યા અને વિજ્ઞાન સત્ય સાંભળવા જેટલા સહનશીલ પણ ન બનાવી શકે અને માત્ર પોતાના જ કલ્પિત વિચારોના પૂજારી બનાવી, સત્યની સામે કલ્યાણના માર્ગની સામે બળવાખોર બનાવે, એને વિદ્યા કે વિજ્ઞાન તરીકે કેમ જ ઓળખી શકાય ? બાકી તમે નિર્બળ થાઓ - ઢીલાઢફ થાઓ એવું કોઈ ઇચ્છે ખરું ? તમે વિદ્યા ન ભણતાં મૂર્ખા રહો એમ અમે ઇચ્છીએ ? તમને દુઃખી જોવાનો અમારો ઈરાદો હોય ? તમને દુઃખી જોવા ઇચ્છનાર ભગવાનશ્રી મહાવીરના શાસનમાં રહેવાને લાયક નથી. તમને સુખી, વિદ્યાવાન્, કળાવાન્ જોવા ઇચ્છીએ, પણ કઈ રીતે ? પ્રભુના માર્ગમાં રહીને, પણ અયોગ્ય માર્ગે નહિ.” પરમ શાસન પ્રભાવક : આ રીતે ધર્મદ્રોહીઓ દ્વારા પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી ઉપર કરાતા આક્ષેપો કેટલા અસત્યપૂર્ણ, કેટલા ધર્મદ્વેષભર્યા અને કેટલા દુર્બુદ્ધિથી ભરેલા છે, તે આપણે વિચારી ગયા. આ બધા ઉપરથી એક તારવણી અવશ્યમેવ નીકળે છે કે - “પૂ. પ્રવચનકાર મહાત્મા એક ‘મહાન્ શાસન પ્રભાવક' છે.” શાસન પ્રભાવક તે જ થઈ શકે કે, જે પોતાને મળેલી સામગ્રીનો ઉપયોગ કેવળ શાસન પ્રચારણાર્થે કરે છે. આ. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ તો પોતાનું સારું ય જીવન શાસનને ચરણે સમર્પી દઈને, પોતાની ઈજ્જનો ભોગ આપીને, પોતાની પ્રભાભરી વ્યાખ્યાનશક્તિનો જ્નતામાં જૈન શાસનની પવિત્ર માન્યતાઓના પ્રચારાર્થે ઉપયોગ કરીને અને ધર્મવિરોધીઓના અનેકવિધ વિપ્લવોને હસતે મુખે વધાવી લઈને, ‘સહનશીલતા’ને ‘મક્કમતા’ પૂર્વક આદરેલ પુણ્યકાર્યની પૂર્ણાહુતિ માટે જે ‘હેમત’ ઉઠાવી છે અને ઉઠાવ્યે જ જાય છે, એ જોતાં ‘શાસન સેવા’માં જરક્ત એ મહાત્મા આજની સદીના પરમ શાસન પ્રભાવક છે, એમ કહ્યા વિના ચાલે તેમ નથી. જૈન ગતમાં એઓશ્રીએ જે જીવંત વૃત્તિ કેળવી છે, તે જેવી તેવી નથી. આપણે તેઓશ્રીને સાંભળતા હોઈએ ત્યારે આપણને લાગે કે - એમના રોમે રોમમાં શાસન સેવાની ભાવના ઠાંસીને ભરેલી છે. એઓશ્રીની દિનચર્યા પણ ખરે જ આશ્ચર્યકારી છે. સવારના ચારથી રાતના અગીયાર સુધી ધર્મક્રિયાઓનું સેવન, વ્યાખ્યાનદાન, શંકાનિવારણ, પઠન-પાઠન વગેરે કાર્યો, તેઓ પ્રમાદરહિત બની કર્યે જ જાય છે : નથી કંટાળો અનુભવતા કે નથી એમને થાક લાગતો. આવા એક પુણ્ય પુરુષના પરિચય માટે તો જેટલું લખાય તેટલું થોડું ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only 41 www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy