SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જેવાં સુવાક્યોના પ્રતિપાદનમાં અનેકાનેક પ્રવચનો આપીને mતને સજ્ઞાન મેળવવાની પુનઃ પુનઃ પ્રેરણા કરતા હોય, તે પૂ. પ્રવચનકાર મહાત્માને કેળવણીના વિરોધી જ્ઞાવવા, એમાં સિવાય અજ્ઞાન બીજું કાંઈ જ નથી. પરંતુ આજે તો એ ધર્મદ્રોહીઓ પોતાની દરેક પ્રવૃત્તિને ધર્મપ્રવૃત્તિ તરીકે જ પોષવા ઇચ્છે છે અને ભદ્ર જ્યતાના ધર્મપ્રેમનો લાભ લઈ પોતાની દુર્લાલસાને પોષવા મથે છે. તેઓ અર્થ અને કામની રસિકતાને વધારનારી કેળવણીને પણ “સમ્યજ્ઞાનનું ઉપનામ આપવા માગે છે અને એ રીતે ભયંકર ઝેરને અમૃતના ઉપનામે ખપાવવા ચાહે છે. પૌદ્ગલિક પદાર્થોના મમત્વને કેળવતી કેળવણીને કોઈ જસમ્યજ્ઞાન” કહી શકે નહિ, કારણકે, જ્ઞાની પુરુષોએ જ્ઞાનસ્ય ૐ વિરતિઃ' જ્ઞાનનું ફળ વિરતિ હોઈ શકે તેમજ“સા વિદ્યા યા વિમુpવે” “તે જવિધા કહેવાય કે જે મુક્તિને માટે થાય આવાં કથન દ્વારા “સમ્યજ્ઞાન કોને કહેવાય તે દર્શાવ્યું છે. આથી જ વિરતિને નહિ પેદા કરનાર જ્ઞાનને અજ્ઞાન તરીકે વર્ણવ્યું છે. બાકી સમ્યજ્ઞાન અને મિથ્યાશાનની પરીક્ષા એક રીતે થાય કે - જે જ્ઞાનપ્રાપ્તિથી વિરતિની ભાવના પેદા થાય તે સમ્યજ્ઞાન અને જે જ્ઞાનપ્રાપ્તિથી સાંસારિક વાસનાઓ મે તે મિથ્યાજ્ઞાન, મિથ્યાજ્ઞાનના યોગે મનુષ્યની માનવતા પરાય છે, જ્યારે સમજ્ઞાનના યોગે એની પ્રભુતા વિકસે છે. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીને 'બળ'ના, “વિદ્યાના કે વિજ્ઞાનના વિરોધી તરીકે ચીતરનારાઓને તેઓશ્રીના જ શબ્દો સમર્પવા ઠીક છે. આ રહ્યા છે : “અમે બળના, વિદ્યાના કે વિજ્ઞાનના વિરોધી નથી. પણ વિઘાના, વિજ્ઞાનના, ઉન્નતના કે બળના નામે, મનુષ્યને મનુષ્ય મટાડી રાક્ષસ બનાવાતા હોય, તો એના અમે કટ્ટર વિરોધી છીએ. જે વિદ્યા, જે વિજ્ઞાન અને જે બળ પ્રભુના માર્ગથી આત્માને પરાક્ખ બનાવે, તે વિદ્યાને, વિજ્ઞાનને કે બળને વખાણવા અમે હરગિજ તૈયાર નથી. જે વિજ્ઞાન, જે વિદ્યા અને જે બળ પાપભીરુ બનાવવાને બદલે પાપમાં રક્ત બનાવે, આરંભ-સમારંભમાં થઈ જતી કંપારીને રોકી નાંખે, વીતરાગના વચન ઉપરની શ્રદ્ધાને નષ્ટ-ભ્રષ્ટ કરી નાંખે અને આત્માને ત્યાગ ધર્મ તરફ વળતો અટકાવી સંસારના રાગમાં મહાલતો બનાવે, એ વિદ્યા, વિજ્ઞાન કે બળ જરૂરી કે હિતકર છે, એમ તો અમારાથી 40 ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy