SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ તવાનું ને મોત માટે તૈયાર રહેવાનું સૂચવાયું હતું. તે સંબંધી પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ વિવેચન કરીને એ રીતે અપાતી અને લેવાતી સ્વ-પર કલ્યાણ કરનારી દીક્ષાનું પણ પ્રતિપાદન ક્યું હતું. આ સિવાય તેઓ શ્રીમદ્ કાંઈ જતે સંબંધી વધા ન હતા, પરંતુ મુંબઈમાં સ્થપાયેલા ધર્મદ્રોહી જૈન યુવક સંઘે જેમ ઘણીવાર જૂઠાણાંઓ દ્વારા પૂ. પ્રવચનકાર મહાત્માની સામે જૈન કુલાંગારને છાજ્યાં લખાણો લખ્યાં હતાં, તે જ રીતે ચાલુ રાક્કીય ચળવળની ઓથ શોધીને, તદ્દન જૂઠાણાંભરી બાબત પ્રસરાવી હતી કે - 'પૂ. પ્રવચનકાર મહાત્મા યંત્રવાદને પોષે છે. સ્વદેશીને નિંદે છે, તક્લી ફેરવવામાં મિલના સંચા કરતાંય વધારે પાપ કહે છે અને ગાંધીજીને મીઠા ચોર કહી મીઠાના કાયદા ભંગની પ્રવૃત્તિને નિંદે છે.' આવા ભાવાર્થનું લખાણ એની દૈનિક શૈલી મુમ્બ તદ્દન ગલીચ ભાષામાં મૂકવામાં આવ્યું હતું અને પોતાની લાગવગવાળાં પત્રોમાં પણ એનું પ્રકાશન કરાવાયું હતું. આથી જેન કે જૈનેતર mત એ પ્રપંચનું ભોગ ન બને તેટલા જખાતર, તા. ૨૯-૩-૩૦ને દિને પોતાનું દૈનિક પ્રવચન પૂર્ણ કરતાં પૂર્વે જે ખુલાસો પૂ. પ્રવચનકાર મહાત્માએ કર્યો હતો, તે પોતાની સંપાદકીય નોંધ સાથે જૈન પ્રવચનના સંપાદકે પ્રગટ કર્યો હતો. તે આ રહ્યો : જાણકાર'ના તખલ્લુસથી જૈન યુવક સંઘ પત્રિકા'એ ફેલાવેલી તદન બનાવટી અફવા ! મુનિપ્રવરશ્રી વિરોધીઓના આંતર સ્વરૂપનું ઉદ્ઘાટન કરે છે. મુંબઈમાં સ્થપાયેલા જૈન યુવક સંઘની ધર્મનાશક પ્રવૃત્તિથી કોઈ અજાણ્યું નથી. તેણે પૂજ્ય મુનિ મહારાજનેનિંદવાની પ્રવૃત્તિઓ કરવામાં આજસુધી કશી જકમીના નથી રાખી. પોતાના પરમ ગુરુદેવોની છત્રછાયા નીચે અહીં લાલબાગમાં વિરાજ્યા મુનિપ્રવર શ્રીમદ્ રામવિજ્યજી મહારાજ કે જેઓ ઉન્માર્ગોનું ઉમૂલન કરનારી અને મોક્ષમાર્ગનું પ્રતિપાદન કરનારી દેશના નિરંતર આપી રહ્યા છે, તેઓને હલકા પાડવા માટે અને તેઓની દેશના અટકાવવા માટે અનેકાનેક પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ નીવડવાથી, હાર્યો જુગારી બમણું રમે એ કહેવત અનુસાર એક છેલ્લો દાવ ખેલવામાં આવ્યો છે અને તે દ્વારા ઇડ્યું છે કે – મુનિવર શ્રીમદ્ રામવિજ્યજી મહારાજકોઈપણ રીતે હલકા પડે અને આપણે આપણું ધાર્યું કરી શકીએપણ તેઓની તે ધારણા આકાશકુસુમ મેળવવા જેવી છે. આ છેલ્લા દાવમાં તેઓએ ભયંકર જૂઠનું સેવન કરવા સાથે મૂર્ખતાનું પણ વિચિત્ર પ્રદર્શન કર્યું છે. તે દર્શાવવા માટે બુધવાર, તા. ૨૯-૩-૩૦ના દિવસે વ્યાખ્યાન સમાપ્ત થવા અગાઉ મુનિપ્રવરશ્રીએ જે ખુલાસો કર્યો છે, તે જ્યતાની જાણ માટે નીચે રજૂ કરવામાં આવે છે: ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy