SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સમજાવીને, ભયંકર જાતિનાં આક્રમણ કરી, બળાત્કારે શ્રુતચારિત્રરૂપી ધર્મ, એનાથી જે આત્મા એનો પાત કરે, એ આત્મા મહામોહનીય કર્મથી આત્માને લિપ્ત બનાવે છે.” આ રીતે એક દીક્ષા લેવાને તૈયાર થયેલા આત્માને બળાત્કારે પતિત કરનાર વ્યક્તિને, આવો દોષ લાગે છે. એમ જાણ્યા પછી પણ કયો કલ્યાણકાંક્ષી આત્મા દીક્ષા લેવાની ભાવનાવાળાને દીક્ષા લેતો અટકાવવાના ‘મહામોહનીય કર્મના ભક કાર્યને કરે? એટલે આ વાંચનારને આગ્રહપૂર્વક નિવેદન છે કે તેઓએ આજ સુધીમાં અજાણપણે એવા પાપકૃત્વમાં ભાગ લીધો હોય, તો પણ તેનો પશ્ચાત્તાપ કરી, ગીતાર્થ ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત્ત લઈને ભવિષ્યમાં તેવા આત્મઘાતક ક્યથી પોતાના આત્માને બચાવી લેવો. બાકી જેઓ દીક્ષા વિરોધને અંગે પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીની પણ અવહેલના કરી રહ્યા છે, તેઓએ તો જ્યાં અસત્યસેવનને કર્માવરણનો ભય જ છોડ્યો છે, ત્યાં તેમને આવા કર્મનો ડર જ ક્યાં લાગવાનો છે? પરંતુ એના વિપાક વખતે એમની જે ફ્રણ હાલત થવી છે, એની કલ્પના પણ પ્રકંપ ઉપજાવે છે. તેવાઓ એમનાં પાપ કૃત્યોમાં ફાવી જઈને ધર્મધ્વંસ કરી શકે, તે પૂર્વે ધર્મીઓએ તો એનો દરેક રીતે પ્રતિકાર કરવો જ જોઈએ અને સાથે જ તેવા પરલોક અને પાપકર્મથી નીડર બનેલાઓની ભાવદયા પણ ચિંતવવી જોઈએ. રાજકીય ચળવળનો વિરોધ? પૂ. પ્રવચનકાર મહાત્માશ્રી સામે ગાવવામાં આવેલા અનેકાનેક ઉધમાતમાં એક એ પણ છે કે, તેઓશ્રી રાજકીય ચળવળના વિરોધી છે. આ વાત પણ પહેલાંની વાતો જેટલી જ અજ્ઞાનતાભરી અને તેટલી જ અસત્ય છે. જૈન સાધુઓના આચાર જ એવા છે કે, તેમને રાજકીય ચળવળ સાથે કાંઈ જ સંબંધ ન હોય. તેઓનું જીવન ધર્માચારમય હોય છે. તેઓનો ઉપદેશ ધર્મ સંબંધી જ હોય છે અને તેઓ માત્ર ધર્મતત્વના પ્રચારમાં જ mતનું કલ્યાણ માની mતમાં વિચરે છે અને તેથી જ જ્યાં જ્યાં ધર્મને નામે ધર્મઘાતની પ્રવૃત્તિઓ મંડાતી હોય, ત્યાં અશાન વિશ્વ મૂંઝાઈને ઉન્માર્ગે ન દોરવાઈ જાય તે પૂરતો જ તેઓ એ વિષયનો સત્ય સ્ફોટ કરે છે અને તેથી તેને રાજકીય ચળવળનો વિરોધ કહેવા કરતાં, અધર્મનો વિરોધ જ કહેવો જોઈએ. હિંદમાં ચાલેલી છેલ્લી કાયદા ભંગની ચળવળ પ્રસંગે જે રીતે દેશહિતના કાર્યમાં કલ્યાણ માનનારાઓ તરફથી પતિને પત્ની છોડવાનું, પુત્રને માતાપિતાની આજ્ઞાની અવગણના કરીને પણ જોડાવાનું, સ્નેહી-સંબંધીને ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy