SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ‘પરાર્થકરણ’, ‘શુભ ગુરુનો યોગ’, ‘તેમના વચનની ભવ રહે ત્યાં સુધી અખંડ સેવા' તેમજ *ભવે ભવે શ્રી જિનેશ્વર દેવોના ચરણની સેવા' વગેરેને કેમ માનતા નથી ? જેઓ સંસારથી વિરાગ મેળવવાની અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગે ચાલવાની માગણી કરે, તે વૈરાગ્યનો વૈરી હોય ? તે વીતરાગ પ્રભુના વચનનો દુરૂપયોગ કરી ‘દીક્ષા’નો વિરોધ કરે ? નહિ જ. એટલે અજ્ઞાન લોકના વિરોધને લેશ પણ મચક ધર્મી આત્માઓ આપી જશકે નહિ અને તેથી જતેઓ શ્રીમદ્ લોકવિરોધનો સામનો કરીને પણ પોતાના આત્મબળથી સન્માર્ગનો પ્રચાર કરી રહ્યા છે. એટલે ધર્મવિરોધીઓ તરફથી થતો આ આક્ષેપ પણ નિષ્ફળ નીવડે છે. પૂર્વના પણ અનેક મહર્ષિઓએ ભયંકર લોકવિરોધ વચ્ચે જરાય નમતું મૂક્યા વિના શાસનસેવા કરી છે અને વીસમી સદીના પરમ પ્રભાવક શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજાએ પણ એજ રીતે શાસનસેવા બજાવી છે. ધર્મનાશકોની દશા ઃ આ રીતે અનેકાનેક દોષારોપણ છતાં તેઓ કોઈ જ રીતે ફાવી શક્યા નથી, ત્યારે તેઓએ શાસનહીલતાનો ‘હાઉ' ઊભો કરવાની ધમાલ મચાવી છે. કોઈ સ્થળે કોઈ ભાગ્યવાન આત્મા પ્રવ્રુક્તિ થનાર હોય કે, તરત ધર્મવિરોધીઓ ત્યાં પહોંચી જાય અને તદ્દન ગપ્પાં ચલાવી ત્યાંની જ્મતાને ઉશ્કેરે, રાજ્યના અમલદારોને ઊંધું સમજાવી મનાઈ હુકમ કઢાવે, તેના કુટુંબની બાંહ્યધરી કરી દીક્ષા લેનાર સગીર ન હોય તોય સગીર કહેવડાવી કેસ ઊભો કરે, વિહારમાંથી પૂ. મુનિવરો ઉપર આક્રમણ કરીને દીક્ષિતને ઉપડાવે, તેમજ બને તેટલી ધાંધલ મચાવે અને જ્યારે એકેયમાં ન ફાવે ત્યારે છાપાની કોલમોમાં દીક્ષિત થનાર પુણ્યાત્મા અને દીક્ષા આપનારને વગોવવાને માટે નહિ બનેલી અને અછતી બાબતો લખી, પોતે જ તેના ઉપર ટીકા કરે અને શાસન હીલનાનાં રોદણાં રોવાની દાંભિકતા સેવે. આથી સુજ્ઞજ્જો એથી ઊંધે માર્ગે દોરવાઈ જઈને દીક્ષાવિરોધ કરી બળાત્કારે પણ દીક્ષિત થનારને પતિત કરી ભયંકર મહાપાપમાં ન ડૂબે, તે માટે શાસ્ત્રકારોએ આ વિષયમાં કરેલો ખુલાસો રજૂ કરવો સ્થાને ગણાશે. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ, શ્રી દેશવિરતિ ધર્મારાધક સમાજના અમદાવાદમાં મળેલા પાંચમા અધિવેશનમાં બીજા દિવસની કાર્યવાહી મુજ્બ, કેટલાકોએ પૂછેલા પ્રશ્નોના ખુલાસા કર્યા હતા. તેમાં પહેલો પ્રશ્ન એ હતો કે; *દીક્ષા લેનારને એક પણ દિવસ તેની મરજી વિના પરાણે રોકવામાં આવે અને તે ગ્રંથ અને ગ્રંથકાર 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy