SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે જનહિ. પરંતુ બીજા ઘણા આચાર્યાદિકની પાસે સોળ વર્ષની ઉમર પહેલાં પ્રવ્રજિત થયેલા છે અને તે બધા જ વડીલની અનુજ્ઞાપૂર્વક જ ! તેમ જ જ્યારે શાસ્ત્ર પણ ત્યાં સુધી સંમતિ વિના દીક્ષા આપવાથી ‘આશા ભંગનો દોષ' અને શિષ્યચોરી' ફરમાવે છે, ત્યારે એક શાસ્ત્રાશાને જ અવલંબી રહેવામાં દુન્યવી પ્રતિષ્ઠાનો ભોગ આપનાર અને મોક્ષ મેળવવાની ભાવનાવાળા, તેવી આજ્ઞા વિરાધના કરે જ કેમ? એટલે સોળ વર્ષ પહેલાં તો બેઉ દષ્ટિએ શાસ્ત્રના ને રાજ્યના કાયદાની દષ્ટિએ નસાડાય જ નહિ અને છતાં કોઈ તેમ કરે, તો એક તરફ ‘ક્નિાશાનો વિરોધ કરી પૂ. શ્રીસંઘની શિક્ષાને પાત્ર થાય અને બીજી તરફ મનુષહરણના કાયદાનો ભંગ થતો હોવાથી રાજ્યની શિક્ષાને પાત્ર થાય. હવે સોળ વર્ષની ઉપરનાની વાત વિચારીએ. એ ઉમરે મનુષ્યની સ્વાભાવિક બુદ્ધિ ખીલી હોય છે અને જો તેને નસાડવો હોય, તો એનામાં સંસારનો વિરાગ અને સંયમનો રાગ ઉત્પન્ન કરવો જ જોઈએ. છતાં કહેવાય છે કે. લલચાવીને ફસાવે છે. પરંતુ સંયમમાં લલચાવવાનું શું? પૈસો રખાય નહિ, સ્ત્રીસેવન થાય નહિ, યથેચ્છ હાય-ફાય નહિ, મનગમતો જ ખોરાક મળે નહિ. ઊઘાડે પગે વિહાર કરતાં ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે સહન કરવું પડે. પોતા માટે કરેલાં દોષિત અન્ન-પાણી લેવાય નહિ, નાટક-સિનેમા જોવાય નહિ, પાન વગેરે ખવાય નહિ. કપડાં પણ સીવડાવ્યા વિના જ મર્યાદા જાળવવા ઓઢવાનાં, હજામત કરાવવાની નહિ અને તેને બદલે છ-છ મહિને કેશ ગૂંચનનું કષ્ટ સહેવાનું, સ્નાન કરવાનું નહિ, વ્યસનની બંધી, અભ્યાસ ને ધર્મક્રિયામાં દત્તચિત્ત રહેવાનું, એમ અનેક રીતે ઈન્દ્રિયો અને મનને કાબૂમાં લેવાની પ્રવૃત્તિ જ્યાં કરવાની હોય, ત્યાં સંસારનો વિરોગ અને સંયમનો રાગ', એ સિવાય બીજી કોઈ જદુન્યવી લાલસા લલચાવી શકે તેમ છે? લલચાવે તેવી વસ્તુ તો હજુ સંસારમાં છે કે, જ્યાં સ્વેચ્છાથી આહાર અને વિહાર કરી શકાય છે. છતાં માનો કે લલચાવે છે, તો શું સોળ વર્ષની ઉંમર પછી એનામાં સમશક્તિ નથી હોતી? અરે, રાજ્યનો કાયદો પણ સોળ સુધી જ મનુષ્ય હરણ'નો આરોપ મૂકે છે અને પછી સામાએ ગમે તેમ ફોસલાવ્યો હોય તો પણ તેને મનુષ્ય હરણ'નો આરોપ લાગુ થઈ શકતો નથી. પરંતુ જેઓ માત્ર દુરાશયથી પૂ. પ્રવચનકાર માત્મા અને પૂ. ગીતાર્થ ગુરુવરોને જ હલકા પાડવા ઇચ્છતા હોય, તેઓ આ બધું વિચારે જ શા માટે? ભાગે છે કે ભગાડે છે ? હવે દુનિયામાં મૂંઝાયેલા આત્માઓમાં સ્વ-પરના કલ્યાણને માટે ‘સંસારનો વિરાગ અને ગ્રંથ અને ગ્રંથકાર 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy