SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને સ્થિરતા કેવી? એને વખાણાય? નહિ. કારણ કે, જે ધ્યાન, શાંતિ અને સ્થિરતા કોઈને દુઃખ ન થાય તે માટે હતી, તે જ જીવોના ઘાત માટે કરાઈ એટલે ઊલટી થઈ ગઈ. એ જ પ્રમાણે શ્રી વીતરાગ દેવના નિર્ગથ ગુરુઓ અને તે તારકોએ પ્રરૂપેલા ધર્મની સેવા જો રાગ અને પરિગ્રહ માટે, એટલે કે, સંસારની ઋદ્ધિ-સિદ્ધિ વધારવા માટે કરવામાં આવે, તો એ શ્રી વીતરાગ દેવ, નિગ્રંથ ગુરુઓ કે એ તારકોએ કહેલા ધર્મની સેવા નથી. પરંતુ સંસારની, પાપની સેવા છે અને તેને તો આ પ્રભુશાસનમાં ત્યાજ્ય ગણેલ છે.” આમ જે મહાત્મા સ્વયમેવ જ ખુલ્લી રીતે શિષ્યમોહમાં આત્મનાશ દર્શાવે છે, તેઓશ્રી શા માટે શિષ્યમોહ રાખે? એક તરફ આત્મકલ્યાણ અર્થે દુન્યવી સુખો તજ્યાં, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહનાં મહાવ્રત લીધાં, દુનિયાના રસિકને કેદી જેવું લાગે તેવું જીવન સ્વીકાર્યું, જીવનમાં સ્વાભાવિક રીતે થતી અનેક ઇચ્છાઓને નિયંત્રિત કરી અને ધર્મદ્રોહીઓએ તેઓ સામે અનેક તર્કટો ઊભાં કરવા છતાં, જાહેરમાં ગલીચ નિંદા કરવા છતાં, જૈનેતરોમાં તદ્દન બનાવટી વિકૃત સ્વરૂપે ચીતરવા છતાં, એવી દુનિયાની ક્ષણિક કીર્તિમાં લોભાયા વિના જે મહાત્માએ શ્રી જિન શાસનની સેવામાં જ શ્રેય માન્યું છે. તે શું આવા દુર્ગુણને આધીન બની જઈ આટલા ત્યાગ ઉપર પાણી ફેરવે ? એમ મોહને જ વધારવો હોય તો એવી ભયંકર માનહાનિ કેમ સહી શકે ? પરંતુ નહિ, જેને એ માનની પડી જ નથી અને જેઓ એમ માને છે કે, દુનિયા માન આપે કે અપમાન, તેની સાથે મુક્તિને કાંઈ જ સંબંધ નથી,' તે માત્મા શિષ્યમોહમાં ફસે એ લ્પનામાં કેટલી હદયહીનતા છે? કેટલી અધમ માનસની છાયા છે? અને જ્યારે શિષ્યલોભનો આક્ષેપ આમ ટળી જાય છે, ત્યાં નસાડી-ભગાડીને દીક્ષા આપે છે એ આરોપ પણ સહેજે ઊડી જાય છે. વર્તમાન સલ્તનતના કાયદા મુમ્બ કોઈ પણ સગીરને નસાડી-ભગાડી શકાય તેમ નથી. તેમજ જૈન શાસ્ત્રકારોએ પણ સોળ વર્ષની અંદરનાને માટે મા-બાપ કિંવા વાલીની રજાને મહત્ત્વની જનહિ, પરંતુ અનિવાર્ય ગણી છે. ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિજીને દીક્ષા અપાવવા માટે ગુરુએ અને ગુરુદેવની પ્રેરણાથી શ્રીસંઘે તેમના પિતાને સમજાવ્યા હતા અને સંમતિ મેળવી હતી. આજે પણ એમ જ થાય છે. પૂ. પ્રવચનકાર મહાત્માશ્રીએ સોળ વર્ષની ઉંમર પહેલાં અનેકોને દીક્ષા આપેલી છે, પરંતુ તે બધી જવાલીઓની સંમતિ પૂર્વક જ! જો એમ ન હોય તો સગીરપણાથી મુક્તિ મેળવેલાને માટેય ભયંકર ઉધમાતો મચાવનારાઓ અને ઉશ્કેરણી કરી કેસ ઊભા કરાવનારાઓ ાય પે ખરા કે ? માત્ર પૂ. પ્રવચનકાર મહાત્મા [24] ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy