SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ એવી ઉપમા આપે છે અને તે જ શબ્દો ગુણહીન એટલું જ નહિ પણ ગુણદ્રોહી બનીને પણ ૨૫મા પ્રભુસમ' પૂજવા ઇચ્છનારાઓ માટે પૂ. પ્રવચનકાર મહાત્મા કહે છે. માત્ર દીક્ષાનો જ ઉપદેશ? પૂ. પ્રવચનકાર મહાત્મા ઉપર એવો પણ આક્ષેપ કરવામાં આવે છે કે, તેઓશ્રી માત્ર દીક્ષાનો જ ઉપદેશ આપે છે અને ગૃહસ્થ ધર્મ વિષે કાંઈ જ કહેતા નથી.' આ વાત કેવળ બનાવટી અને જૂઠી છે. એ તો જૈન પ્રવચન સાપ્તાહિકનો કોઈ પણ વાચક સ્વીકારી શકે તેમ છે. છતાં માત્ર દલીલ ખાતર તેમ સ્વીકારવામાં આવે તો પણ તેઓશ્રી ક્યાં ભૂલે છે. એ કોઈ જ રીતે પુરવાર થઈ શકે તેમ નથી. કારણ કે, ૧ - સંપૂર્ણ, શાશ્વત અને દુખના લેશ વિનાનું સુખ પ્રાપ્ત કરવાને માટે મોક્ષમાર્ગનું સેવન એજ એક ઉપાય છે. ૨ - અનંત જ્ઞાનીઓએ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ- ચારિત્રરૂપ રત્નત્રયીને જ મોક્ષમાર્ગ કહેલ છે; ૩ - સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના સદ્ભાવમાં સમ્મચારિત્રનો અભાવ હોઈ શકે છે, જ્યારે સમ્યગ્દર્શનથી સુવિશિષ્ટ સમ્યજ્ઞાન ન થાય ત્યાં સુધી સમ્મચારિત્ર હોઈ શકતું જનથી. એટલે - ૪ - મોક્ષસાધન માટે સર્વોત્તમ આદર્શ સમ્યારિત્ર જ છે. એ વિના સંપૂર્ણ કર્મક્ષય નથી અને એથી મુક્તિ પણ નથી જ ૫ - જ્ઞાની પુરુષોએ જ્ઞાનનું ફળ વિરતિ, ત્યાગ, દીક્ષા જ કહેલું છે. એટલે કે, ક - સમ્યફચારિત્ર, સમ્યજ્ઞાન વિના હોઈ શકે જનહિ અને સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન વિના હોઈ શકે નહિ. ૭ - આથી પુરવાર થાય છે કે, સમ્યફચારિત્રના, દીક્ષાના ઉપદેશમાં અલ્પાત્સલ્પ ધર્માનુષ્ઠાનથી માંડીને સર્વોચ્ચ ચારિત્રનો સમાવેશ થઈ જાય છે. આમ વિચારતાં પૂ. પ્રવચનકાર મહાત્મા કેવળ દીક્ષાનો જ ઉપદેશ આપતા હોય તો પણ જાય અસ્થાને નથી. પરંતુ વિરોધીઓ કહે છે કે, તો પછી પ્રભુએ ગૃહસ્થધર્મ પ્રરૂપ્યો જ શા માટે ?' આપણે આ વસ્તુને પ્રશ્નોત્તરના રૂપમાં મૂકીએ. ગ્રંથ અને ગ્રંથકાર 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy