SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ : સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 જ ને ? એમણે કબૂલ રાખી. ફે૨ફા૨ હોત તો કહેત. શ્રી ગણધ૨દેવોએ સંતાડી તો નહોતીને ? સંતાડે તો પણ ભગવાન શ્રી મહાવીરદેવ જેવાથી કચાં સંતાડે ? સભા : આજ તો આચાર્યોને લહિયા કહે છે. 719 ૧૯૧ કબૂલ, લહિયા પણ કોના ? ભગવાન શ્રી મહાવીરદેવના જ ને ? એમાં વાંધો પણ શો ? સાચી વાત એ છે કે દર્શનવાળાથી તો લહિયા જ થવાય : કારણ કે પ્રભુએ કહેલી જ વાતો માત્ર અને તે વાતો પણ તે જ સ્વરૂપે ઉચ્ચારી શકાય. એથી બીજું બોલનાર એ તો આ શાસનનો દ્રોહી : એથી લેખક બનવા કરતાં તો આના લહિયા બનવામાં જ કલ્યાણ છે. બાકી એવાઓ તરફથી આવું તો અવજ્ઞા જ કરવા ખાતર કહેવાય છે, એ યાદ રાખવાનું છે. દર્શન વિનાના જ નહિ, પણ દર્શનના વિરોધી આદમીઓ એમને લહિયા તો શું પણ મજૂર, સ્વાર્થી, વેઠિયા, પ્રપંચી વગેરે બધું જ કહેશે. દર્શન વિનાનું એટલે મિથ્યાત્વથી વ્યાપ્ત થયેલું, એટલું જ નહિ પણ વિરુદ્ધ ભાવને પોષતું જ્ઞાન લાહ્ય જ લગાડે. જો લાહ્ય ન લગાડે તો એ ભયંકર અજ્ઞાન શાનું ? જેમ વ્યવહારમાં કહેવાય છે કે છાશમાં માખણ ન જાય તો ફુવડ શાની ? સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનવાળાને માબાપ ઉપર પણ પ્રેમ હોય ? નહિ જ, એને તો શક્તિ ન હોવા છતાંય બાપ કરતાં પોતાને વધારે ડાહ્યો કહેવરાવવાની ભાવના હોય. સાધુઓને અને પૂર્વાચાર્યોને લકીરના ફકીર, પુરાણપાઠી, વગેરે બધું કહે ત્યારે એને આનંદ આવે. દર્શન વિનાનું જ્ઞાન શું શું કરે તે બતાવાય છે હોં ! બાકી દર્શનવાળો તો જ્યાં શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા જુએ, આશા અનુસાર તપ, ત્યાગ અને પ્રભુમાર્ગને અનુસરવાપણું જુએ, ત્યાં શિર જ ઝુકાવે. દર્શન આવ્યું એટલે જ્ઞાન, વિનયાદિ ગુણો, લઘુતા એ બધું જ આવે. શ્રી ગણધરદેવના શિષ્યો પણ એમની પાસે ઊભે પગે બેસે - હાથ જોડે, સૂત્ર ભણતી વખતે તપ કરીને વિગઈ તજીને બેસે અને પગમાં માથું મૂકે, ત્યારે જ્ઞાન પરિણમે. આજના વિદ્યાર્થી તો કહી દે કે ‘શિક્ષક એટલે પગારદાર નોકર, આપણે કહીએ તેમ એ વર્તે, આપણા ઉપ૨ એને હક્ક નથી : અમે બધા પ્રોફેસરના ભાઈબંધ !' પૂર્વે એ ભાવના હતી કે શિક્ષકને મરતાં સુધી ન ભૂલે – ગમે તે સ્થિતિમાં પણ એનું સન્માન કરે - હોદ્દા પર હોય તો ત્યાંથી ઊઠીને પણ સન્માન કરે. આ મર્યાદા હતી. આજે મર્યાદા વગરનું જ જ્ઞાન છે માટે આ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy