SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ શાસનમાં પહેલા નંબરે ભગવાન શ્રી ગૌતમસ્વામીજી ગણધરદેવ : એ પણ હાથ જોડીને ઊભા રહે : એ દર્શનના જ પ્રભાવે. ભગવાન પાસે આવ્યા પછી ત્રીસ વર્ષમાં એક દિવસ એવો છે કે પ્રભુની આજ્ઞા સામે એમણે પ્રશ્ન કર્યો ? શાન તો ચાર હતાં, તે છતાંય શ્રી આનંદ શ્રાવકની સાથે અવધિજ્ઞાનના વિષયમાં મતભેદ પડ્યો. આનંદ શ્રાવકે એમ ન કહ્યું કે ‘તમે ખોટું કહો છો’ - પણ કહ્યું કે ‘આપ એમ કહો છો તે ઠીક હોય તો પણ હું તો નજરે જોઉં છું' ભગવાન શ્રી ગૌતમસ્વામીજીએ કહ્યું કે ‘ભગવાનને પૂછી આવું.' પોતાને ચાર જ્ઞાન હતાં, ઉપયોગ કરી શકે તેમ હતું, પણ પ્રભુ માથે હોય ત્યાં સુધી ઉપયોગ કરવાની જરૂર શી ? આવીને પૂછ્યું પણ એ કે ‘ભગવન્ ! સાચો આનંદ કે હું ?' ભગવાને કહ્યું કે ‘આનંદ સાચો : મિચ્છા મિ દુક્કડં દો !' તરત ત્યાં ગયા : મિચ્છા મિ દુક્કડં દીધો : અને કહ્યું કે ‘ભગવાન કહે છે કે, તું સાચો.' જ્ઞાન ચાર ધરાવે છે : શ્રુતજ્ઞાન સંપૂર્ણ તથા સર્વ અતિશયવાળું : શ્રુતકેવલીને શ્રી ગણધરદેવ જેવું જ્ઞાન નહિ. ચારિત્ર અપ્રમત્ત જેવું : તપ છટ્ઠને પારણે છઠ્ઠ કરતા : તે છતાં આજ્ઞા આગળ એ પણ શિર ઝુકાવતા. ભગવાન દેશના દે ત્યારે સામે હાથ જોડી પૂછતા. સાંભળે પણ ઊભે પગે બેસીને : તેવી જ રીતે શ્રી ગણધરદેવના શિષ્યો પણ શ્રી ગણધ૨દેવ પાસે તેમ જ વર્તે. આ બધું દર્શનના પ્રભાવે ! આજના ભણેલા તો શું ઇચ્છે ? આચારાંગ વંચાય છે એમ જાણે, એટલે કહે કે ‘ઘેર ભાષાંતર છે, જોઈ લઈશ, સંસ્કૃત પણ જાણું છું' - વગેરે કહે ! આ મહાપુરુષો તો જાણતા, અરે બનાવનાર પોતે છતાં સાંભળે. શ્રી ગણધ૨દેવો તો દ્વાદશાંગીના બનાવનારને ? ભગવાન એની એ વાત કહે, તે છતાં પણ એ માનતા કે રાગાદિરહિતના મુખકમલમાંથી નીકળતા એના એ શબ્દોમાં પણ ‘અમારા કરતાં કેઈ ગુણી અનુપમતા હોય.’ દર્શન આ ભાવના લાવે. ગણધરદેવો જાણે છે બધું, પણ શ્રોતાઓને અધિક પ્રતીતિ કરાવવા પૂછે છે. શ્રી ગણધરદેવો પણ હાંદશાંગી રચનાર પોતે છતાં દેશના રોજ સાંભળતા. ૧૯૦ ન સભા : કેવળજ્ઞાની ભગવાને પોતે એ દ્વાદશાંગી કેમ ન બનાવી ? જૈનશાસનનો તો કલ્પ જ એવો છે કે ગણધર જેવા સર્વોત્તમ શિષ્યો જ સૂત્રરૂપે રચના કરે. અને નિશ્ચિત થયેલ કલ્પમાં પ્રશ્ન પણ ન હોઈ શકે. 718 સભા : ગણધર તો છદ્મસ્થને ? પણ ભગવાને અર્થરૂપે આપી અને એમણે ઝીલી. ત્રણ પદ ભગવાને કહ્યાં, તે ઉપરથી દ્વાદશાંગી શ્રી ગણધરદેવોએ રચી. એમની દૃષ્ટિ બહારની તો નહિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy