SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ 17 – ૧૨ : સમગ્દર્શન એટલે અંકુશ - 49 – ૧૮૯ ન ખાય. એ તો કહે કે “હું ભણેલો, કાયદો ને ભાષા બધું હું જાણું, સાધુઓ સમજે છે શું ?' વિદ્વત્તાના અજીર્ણની માત્રા વધી એનું જ એ પરિણામ છે. ચોરી કેમ થાય, જૂઠું કેમ બોલાય, પાપ કેટલા પ્રકારે થાય, એ બધું વર્ણન શાસ્ત્રમાં છે : શા માટે ? બચવા માટે ! આ વાંચે અને બચે એ શાથી ? સમ્યગ્દર્શનના જ યોગે ! દર્શન ન હોય તો તો સત્યાનાશ જ કાઢે. દર્શન એમ કહે કે “આ જાણવાનું પણ આદરવાનું નહિ.” પણ જો દર્શન વગરનાને અપાય તો તો એ એનો અમલ જ કરે. “બે ચીજ ભેગી થવાથી અમુક પ્રાણીઓ પેદા થાય' - એ જાણીને સમ્યગ્દર્શનવાળો તો ભૂલેચૂકે પણ એ પદાર્થો ભેળા ન થાય એની કાળજી રાખે, ભેળા થતા જાણે તો આઘા કરે. અને દર્શન વગરનો તો ઇરાદાપૂર્વક લાવીને ભેળાં કરે અને જ્યાં ત્યાં જીવ ઉત્પન્ન કરે. એમ કરવાના અખતરા કરે અને ઉપરથી જોવા-જાણવા માટે કરેલા પાપમાં વાંધો શો ?' - એમ પણ કહે. દર્શનહીન જ્ઞાનથી જ આવી બુદ્ધિ પેદા થાય છે. સભા દર્શનહીન જ્ઞાનવાળાનું ધાંધલ આગળ વધે તો? વસ્તુના મર્મને નહિ સમજનારનો ઉધમાત ત્યાં જ શમે. શાસ્ત્ર કહે છે કે કોઈ કોઈ કાળમાં એમ થાય, પણ એનું જીવન ચોમાસાના અળસિયા જેટલું જ. પાણી ટપટપ થાય ત્યાં સુધી અળસિયું જીવે અને સૂર્યનો તાપ નીકળ્યો કે ખલાસ થાય. તમને વસ્તુ સમજાવવા આ કહેવું પડે છે કે દર્શન વિનાનું જ્ઞાન આ કોટિનું છે. દર્શનનો પ્રભાવ સર્વત્ર પ્રવર્તે છેઃ | દર્શનવાળા હોય તેને બોલવામાં-ચાલવામાં વિચાર હોય, પણ દર્શન વિનાનાને તો બારેય ભાગોળ ખુલ્લી જ હોય છે : દર્શન વિનાનું જ્ઞાન એ વસ્તુતઃ જ્ઞાન નથી. જ્ઞાન, ચારિત્ર અને તપ દર્શનધારીને જ સફળ થાય, દર્શન વગરનાને સફળ તો ન થાય પરંતુ વખતે હાનિકર્તા પણ થાય. આજના જમાનાને દર્શન કેમ નથી ગમતું? તે અંકુશ મૂકે છે માટે ! જ્ઞાન, ચારિત્ર અને તપ એ તો અલંકાર છે. એ સૌને ગમે. કોને ન ગમે? પણ આમ હાથ જોડીને, માથું નમાવીને ઊભું રહેવું એ કોને ગમે ? દર્શનથી નમવું પડે. અલંકારો પહેર્યા છતાં પણ નમવું પડે. દર્શન એટલે નમાવનાર. શ્રી ઇંદ્રભૂતિજીમાં પહેલાં અભિમાન હતું, પણ ભગવાનને જોયા અને વિશેષતા જોઈ એટલે નમી પડ્યા. ત્યાં એમને અભિમાન આડે નહોતું આવતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy