SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ ––––– The સાધુઓએ સિદ્ધાંતનો ક્રમ અખંડપણે ચાલુ રાખ્યો છે.” વરસે વરસે વિચારો બદલાય તો એ ચાલુ રહે ? દેવગુરુને ઓળખો એ કબૂલ : એ પરીક્ષામાં વાંધો નહિ : ન જણાય ત્યાં સુધી અક્કડ રહો, પણ દેવત્વ તથા ગુરુત્વનો નિર્ણય થયા બાદ તો “હું તારો અને મારે ચાલવાનું, પણ હે નાથ ! તારી આજ્ઞા મુજબ જ' - એ જ વાત. તે પછી આડાઅવળા પ્રશ્ન નહિ. પછી તો આજ્ઞા એ જ માર્ગ. જૈનશાસનની આ સ્થિતિ છે. આચાર્યોએ બહુ કર્યું, પણ મૂળ માર્ગને અનુસરીને જ અને એ આ દર્શનના જ પ્રભાવે ! આજના જમાનાને આ પાલવે ? જો ન જ પાલવે તો કહેવું જોઈએ કે ન આવે જ્ઞાનનો ઉદ્યોત, ચારિત્રનો પ્રકાશ કે તપની સુંદર છાયા ! મહાપુરુષોમાં જ્ઞાન, શક્તિ કે વિદ્યાની કમી નહોતી, પણ એક પણ વિદ્યાથી આરંભ-સમારંભની શરૂઆત થઈ? નહિ જ. બેઠાં બેઠાં અમુક પદાર્થો ભેગા કરી સિંહ કે હિંસક પશુ પેદા કરી શકે એવી વિદ્યા હતી. ચૌદ પૂર્વધર એટલે વિદ્યા તથા મંત્ર વગેરેના તો ખજાના જ. આજનાં યંત્રો એ તારકોને નવાં કે સહેલો ? છતાં એમણે આ બધું બનાવ્યું ? કોઈનેય એમણે બતાવ્યું? નહિ જ, કારણ કે એ તારકોનું જ્ઞાન દર્શનવાળું હતું. મર્યાદાવાળી મોટાઈથી કોઈને જ પીડા ન થાય. મર્યાદહીન મોટાઈથી શેરીનાં છોકરાં પણ ભડકે, તો આડોશી-પાડોશીને તો શાંતિ હોય જ શેની? પેલા મહાપુરુષમાં જ્ઞાન હતું પણ સાથે મર્યાદા પણ હતી. એ કહેતા કે પાપ ત્યાજ્ય, વિષયકષાયો ત્યાજ્ય. આ હેય અને આ ઉપાદેય, – એ તારકોના હૃદયમાં લખાયેલું હતું. એ જાણતા બધું પણ કહેવા જોગું જ કહેતા, આપવા જોગું જ આપતા, ન આપવા જોગું ન જ આપતા, સાથે લઈને જ જતા, પણ જેને-તેને આપતા નહિ. આજ તો એક સામાન્ય વાત પેટમાં રાખવી ભારે થઈ પડે. કોઈને વાત કહેવાની મૂર્ખાઈ થઈ અને કહેવાઈ ગઈ તો પણ જો એને કંઈ ભલામણ ન થાય તો તો વખતે ભૂલી જાય, પણ જો એને કહ્યું કે “આ વાત કોઈને કહીશ નહિ.' - તો તો તરત જ જાહેરાત. એ પણ બધાને કહે એમ કે “આ વાત ખાનગી છે. એ તો હું મહારાજ પાસે બેસનાર તે જાણું છું, પણ કોઈને કહીશ નહિ.” આ તો એક દૃષ્ટાંત માત્ર છે. અધૂરી સમજના ને ગંભીરતા વગરનાઓના પેટમાં વાત ટકવી મુશ્કેલ થાય છે. મુદ્દો એ છે કે પૂર્વે વસ્તુ ટકાવવાની તાકાત હતી, કારણ કે મર્યાદા હતી. આજ તો ભણેલો પોતે પોતાને પચાસ જગ્યાએ વિદ્વાન ન કહે, તો એને શાંતિ ન થાય. આચાર્યોને તથા સાધુઓને મૂર્ખ કહેતાં આજના એ ભણેલાઓ આંચકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy