SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ 715 ——— ૧૨ ઃ સમ્યગ્દર્શન એટલે અંકુશ : - 49 - -- ૧૮૭ ત્યારે કહ્યું કોણે ? - આ ગૂંચવાડો ચાલ્યો. આ પંદરમી સદીનું, આ સત્તરમીનું એમ જ ચાલે. ભાષા કઈ સદીની એ વિચારણામાં જ પચાસ-સાઠ વરસની જિંદગી પૂરી કરે, પછી ૐ ફુટ્ સ્વાહા તો છે જ. ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ એવી મજાની ગ્રંથરચના કરી છે કે ઇતર પણ ખેંચાય. દરેક દર્શનવાદીને સત્ય તરફ ખેંચવા એમણે બધું કર્યું છે. ઇતર તથા વિરોધીની પણ “એ માત્ર વસ્તુસ્થિતિના જ યથાર્થ વિવેચક નહોતા' – એમ કહેવાની હામ ચાલે તેમ નથી. એમના થોડા જ સમય પહેલાં આગમો લખાયાં છે. એમણે બધાં આગમો જોયાં. ઇતિહાસ તથા ભાષાનું જ્ઞાન એમને ખરું કે નહિ ? પૂર્વાવસ્થામાં એ પુરોહિત હતા, ચૌદ વિદ્યાના પારગામી હતા અને કોઈ પણ દર્શનનો આદમી કોઈ પણ દર્શનનું સૂત્ર મૂળ ભલે બોલે પણ ન સમજું તો તેનો શિષ્ય થાઉં' - આવો તો એમને અભિગ્રહ હતો. કેવા વિદ્વાન હશે ? જેવા વિદ્વાન હતા તેવા પ્રતિજ્ઞાપાલક પણ પૂરા હતા. એક વખત મંદિરમાં આવીને શ્રી જિનમૂર્તિની મશ્કરી પણ કરનાર એ પુરોહિત હતા ! સાધ્વીની ગાથાનો અર્થ ન સમજ્યા, કે તરત આવીને કહ્યું કે - હું તમારો શિષ્ય.” સાધ્વીએ કહ્યું કે “અમને અધિકાર નથી.” પોતે કહ્યું કે તમે કહો તેનો શિષ્ય થાઉં.” સાધ્વીની સાથે જૈનાચાર્ય પાસે જઈ દીક્ષા લીધી : અભ્યાસ કર્યો આગમોનું અધ્યયન કર્યું અને અધ્યયનના યોગે અવિચ્છિન્ન પરંપરાએ અખંડપ આવેલાં આગમો આ છે એવી કબૂલાત એ કરે. જ્યારે આજના કંઈ નવું ટીખળ કરે એ શાથી ? દર્શનરૂપ અંકુશ જોઈતો નથી માટે ! સમ્યગ્દર્શન, એ આદમીની બધી જ સ્થિતિને અંકુશમાં આણે છે. દર્શને આવ્યું એટલે ગુણો આવ્યા, લઘુત આવી. એ તો એમ કહેતા કે “અમે કોણ માત્ર ?' ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના ગ્રંથ ઉપર ટીકા કરતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજ જેવા પણ કહે છે કે “કયાં એ અને ક્યાં અમે ?' આવી લઘુતા આવે કે શાસ્ત્રનો ભાવ ઝટ ગળે ઊતરે. અહંતા આવી કે , કોણ ?' - એટલે ગળે અટકે અને ઊલટી થાય. સમ્યગ્દર્શન આવ્યું એટ૮ આને અનુસરીને ચાલવું પડે છે : આના અનુયાયી થવું પડે છે. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ પણ કહ્યું કે “ભગવાનના શિષ્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy