SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો -- ૩ – 112 માટે નિષેધ - એમ કરવાની એમને આજ્ઞા નહિ. આ શાસનમાં તો આજ્ઞા એ જ ધર્મ. નવ પૂર્વની અંદરનો હોય તેને પણ તેમ વર્તવાનો અને એકાકી જવાનો નિષેધ. જે મહર્ષિનું જ્ઞાન નવમા પૂર્વની ત્રીજી વસ્તુનું હોય અને દશ પૂર્વની અંદર હોય તેમને માટે જિનકલ્પાદિ કરવાની વિધિ તથા આજ્ઞા છે. જે મહર્ષિને દશ પૂર્વનું જ્ઞાન પૂરું થયું તે તો અમોઘ દેશક શાસનને ઉપયોગી છે અને નવ પૂર્વની અંદરના જ્ઞાનવાળા જિનકલ્પાદિ કરવા માટે લાયક નથી. આપણો મુદ્દો એ છે કે આટલા જ્ઞાનીને પણ અંકુશમાં રહેવું પડે છે. નવ પૂર્વ ઉપરનો અને દશ પૂર્વ અંદરનો જ્ઞાની પણ જિનકલ્પાદિ ક્રિયા ફાવે ત્યારે કરે ? નહિ, પોતાની પાછળ શાસનરક્ષક યોગ્ય શિષ્ય મેળવી, બોજો ઉપાડે તેવા સમર્થ બનાવ્યા બાદ કરે, પણ હું તો આ ચાલ્યો' એમ નહિ. મડદાની શાંતિ કેળવવા એ ન જઈ શકે. જ્ઞાની ઉપર પણ યોગ્ય અંકુશ આ પ્રભુદર્શને મૂક્યો છે, કારણ કે એના વિના ચાલે જ નહિ. શ્રી ગણધર મહારાજે અંતર્મુહૂર્તમાં ત્રણ પદ ઉપરથી દ્વાદશાંગી રચી, પણ કહ્યું એ કે “કાશ્યપગોત્રીય ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું છે' - પણ - “મેં કહ્યું છે.” – એમ નહિ ! આ અંકુશ સમ્યગ્દર્શનના યોગે કુદરતી રીતે જ આવે. શાસનની મર્યાદા તો કેવળી પણ ન જ લંઘી શકે ? વ્યવહારમાં પણ એક આદમી પાસે એક જણ અમુક વસ્તુ શીખ્યો હોય અને જો યોગ્ય હોય તો તે મરતાં પણ એને ન ભૂલે, પણ જેને કુળમર્યાદા હોય તે જ તેમ વર્ત. આ શાસનમાં પણ જેનામાં સમ્યગ્દર્શન હોય તેનામાં સ્વયં એ ગુણ આવી જાય છે. શ્રી તીર્થંકરદેવના શાસનમાં કેવલી પણ દેશના શ્રી તીર્થંકરદેવના નામથી જ આપે. “ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ કહ્યું છે' - એમ કહે. એ કેવલી થાય શાથી ? શ્રી તીર્થંકરદેવના તીર્થની નિશ્રાએ ! શ્રી તીર્થંકરદેવની દેશના સાંભળી, સ્વીકારી, આજ્ઞાનો અમલ કર્યો તો કેવળજ્ઞાન થયું, માટે બધી વાત એ તારકના નામે જ ! શ્રી પ્રત્યેકબુદ્ધ શિષ્ય ન કરે, કારણ કે એ મહર્ષિઓને ગુરુ થવાનો અધિકાર નથી. વગર ગુરુએ ગુરુ થવાનો અધિકાર તો એક શ્રી તીર્થંકરદેવને જ. જગદ્ગુરુ તો એ એક જ. સ્વયં સંબુદ્ધ એ પોતે. પ્રત્યેકબુદ્ધ પાસે કોઈ દીક્ષા લેવા આવે તો તે તારક પોતે બોધ કરી મોકલે પ્રભુ પાસે, અગર પ્રભુશાસનના મુનિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy