SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ 11 - ૧૨ ઃ સમ્યગ્દર્શન એટલે અંશ : - 49 – ૧૮૩ ગુણગાન થાય, કારણ કે સમ્યગ્દર્શન વિનાનાં તે સ્વચ્છેદવૃત્તિ ઉપર ઘા નથી કરતાં, ત્યારે સમ્યગ્દર્શન તો કહે છે કે સ્વચ્છેદવૃત્તિ હોય ત્યાં સુધી જ્ઞાન, ચારિત્ર અને તપ એ નકામાં છે. દર્શન એટલે ઇચ્છાને આથી મૂકી, સ્વચ્છેદવૃત્તિને પણ આથી મૂકીને આખપુરુષોની આજ્ઞા મુજબ વિચરતા એવા શિષ્ટ પુરુષ પ્રવરોની પાછળ જવું તે અથવા “તે જ સત્ય અને તે જ નિઃશંક કે જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું' – આ જ એક નિશ્ચય : પણ એ નિશ્ચયની સામે “હું માનું તે જ સાચું' - આવા દુરાગ્રહનો સર્વથા અભાવ, એ જ સમ્યગ્દર્શન. જ્ઞાની કહે છે કે વિશેષ જ્ઞાન વિના નિભાવાય, ‘મ રુષ' અને “મા તુષ' ગોખતાં ન આવડે તેને પણ માર્ગે લવાય અને નિભાવાય, ચારિત્રમાં અંશે શિથિલતા હોય તેને પણ નિભાવાય, શક્તિ ન હોય અને તપ ન કરે - માત્ર નવકારશી કરે તો પણ તેને તપની કોટિમાં ગણી એને નિભાવાય, પણ દર્શનની ખામીવાળાને નિભાવાય નહિ. આજના ઉચ્છંખલોના આગેવાન કહે છે કે દર્શનનો જમાનો ગયો અને આ તો જ્ઞાનનો જમાનો આવ્યો.' - એનું કારણ એ છે કે જ્ઞાન, તપ તથા ચારિત્રને અંકુશમાં રાખનાર મૂળ દર્શન ગુણ જ તે પાપાત્માઓને જોઈતો નથી, કારણ કે એ ગુણ સ્વચ્છેદવૃત્તિ ઉપર જ ઘા કરે છે. એ ગુણને લઈને તારકોની સેવામાં શિર ઝુકાવવું પડે છે, નમવું પડે છે, નમીને ચાલવું પડે છે, વાતવાતમાં આજ્ઞા લેવી પડે છે, શિષ્ટ પુરુષોની સંમતિ વિના – જ્ઞાનીની મહોરછાપ વિના એક પણ પ્રવૃત્તિ થઈ શકતી નથી, માટે જ એ ઉશ્રુંખલો અને તેના આગેવાનને સમ્યગ્દર્શનરૂપ ગુણ ગમતો નથી. સમ્યગ્દર્શન, એ આત્માને ઉન્માર્ગે જતાં અટકાવનાર એક સુંદરમાં સુંદર બંધન છે. ગવર્નમેન્ટ પણ અમુક અમલદારોને અમુક સત્તા આપી, પણ ત્યાંયે કાનૂનનું બંધન તો ખરું જ. જો બંધન વગરના બનાવે તો રાજ્ય એક દી પણ ન નભે. તેમ દર્શન બધી વસ્તુ ઉપર બંધન મૂકે છે. દશ પૂર્વધર વિચારે કે અભિગ્રહ ધારણ કરી, મૌન ધારી, શાંતિમાં જીવન ગાળે તો તે તેમ ન કરી શકે. શાસ્ત્ર એ મહર્ષિને એમ કરવાનો નિષેધ કર્યો. એમનું તો શાસનમાં ખાસ કામ છે, કેમ કે એમની દેશના અમોઘ હોય છે. શાસનની પ્રભાવનામાં એ તો અતિશય જરૂરી છે, માટે અભિગ્રહાદિ કરી શાંતિમાં જીવન ગાળવાનો એમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy