SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૩ Jain Education International - ૧૮૨ જોઈએ છે, પણ એ દર્શનના ઉદ્યોત વિના જ્ઞાનનો ઉદ્યોત થતો નથી, ચારિત્રનો પ્રકાશ પડતો નથી અને તપની તેવી છાયા પણ પડતી જ નથી ! સમ્યગ્દર્શન તો સ્વચ્છંદાચારોને રોકનાર સુંદરમાં સુંદર અંકુશ છે ઃ તપસ્વી હોય અને ખાવાનો લાલચુ હોય એ કદી બને એવી વસ્તુ છે ? એવો તપસ્વી પ્રભાવના શી કરે ? તપસ્વીનો મુખ્ય ગુણ કયો ? ઇચ્છાનો રોધ. છત્રીસ કલાકનો ઉપવાસ કરે એને શરીર આદિના ખાસ કારણ વિના બે ઘડીમાં મુશ્કેલ થઈ જાય એ શું ? એવો શક્તિસંપન્ન આત્મા બે ઘડી થાય એ વખતે પારણાની સામગ્રી તૈયાર ન હોય અને વાર હોય તો ધમપછાડ કરે, એ તપ શોભે શી રીતે ? વાર હોય તો વિચારે કે એટલો તપ વધારે સહી. આ ભાવના ક્યારે આવે ? તપની પાછળ જે જોઈએ તે ભાવના હોય તો જ ! એ વખતે ધમાચકડી કરે તો ઘરના આદમીઓને પણ કંટાળો આવે અને કહે કે ‘તપ નહોતો કરવો, મોડું પણ થાય !' પણ તપસ્વી કહે છે કે ‘વાંધો નહિ, છત્રીસ કલાક અને બે ઘડી જો રહ્યો છું, તો હજી ઘડી બે ઘડી પણ થશે તો પણ આનંદપૂર્વક રહીશ’ – તો ઘરનાઓને પણ ચીવટ થાય અને ઝટ કરે. ઇચ્છાનિરોધ અગર ઇચ્છાનિરોધ કરવાની અભિલાષા હોય તો જ આ થાય. ઇચ્છાનિરોધના અભાવે આત્મા પોતાના તપને લુખ્ખો બનાવે છે, તપ પ્રત્યે બહુમાનને બદલે કોઈ વખત જોનારને તિરસ્કારની ભાવના પણ પેદા કરાવે છે અને આથી જ કહેવું પડે છે કે ‘દર્શન જીવતુંજાગતું ન હોય તો જ્ઞાન, ચારિત્ર અને તપ દીપ્તિમાન બની શકે જ નહિ.' આજના કેટલાકોની તો વાત એવી છે કે ‘ગમે તેમ થાય તો પણ જ્ઞાન એવું જોઈએ, કે જે અમારી ગમે તેવી પ્રવૃત્તિમાં પણ ખલેલ ન કરે. અમે ગમે તેમ વર્તીએ તો પણ અમે ચારિત્રી છીએ તેવી જાહેરાત થાય, ઇચ્છાના ગુલામ છતાં તપસ્વી કહેવાઈએ.’ - આ જ વાત ઉપર સમ્યગ્દર્શન સહિત જ્ઞાનની ચડાઈ છે અને એથી જ એ પામરોને દર્શન રુચિકર નથી થતું. દર્શનની પ્રશંસા ન કરવાનું કે ઓછી ક૨વાનું કોઈ કારણ હોય તો તે આ જ છે. એમનો આ જમાનો સ્વચ્છંદ વૃત્તિનો છે અને સમ્યગ્દર્શન એ સ્વચ્છંદવૃત્તિ ઉપર જ ઘા કરે છે. સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, ચારિત્ર તથા તપ વગેરે સ્વચ્છંદવૃત્તિ ઉપર ઘા નથી કરતાં, બલ્કે પુષ્ટિ પણ આપે છે. જ્ઞાનની વાત નીકળે કે બધા કહે કે ગમે તેને દેવું. ચારિત્રને પણ ઊંચું કહેવું પડે. તપનાં પણ ન 710 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy