SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – 72 તિર્યંચો વ્રતધારી થાય. શ્રી બળદેવ મુનિને હરણિયું વહોરવા લઈ જતું. શ્રી બળદેવમુનિએ સિંહ વગેરે તિર્યંચોને શ્રાવક બનાવ્યા હતા. સભા : પછી સિંહ વગેરે ખાય શું? આ પ્રશ્ન જ અયોગ્ય છે. વિવેક થયા પછી એમાં પૂછવાપણું રહેતું નથી. સમજાયા પછી તીવ્ર લાલસા રહેતી જ નથી. કોઈ આત્મા આસક્તિને લઈને લાલસા તરફ ઢળે તો પણ કંપે, પણ એ અભક્ષ્યભક્ષણને પોષણ તો ન જ આપે. પણ આજ તો પોષણની વાતો ચાલી રહી છે. કારણ ? અભક્ષ્યભક્ષણથી આત્મા મલિન થાય એ ખ્યાલ જેવો જોઈએ તેવો આવ્યો નથી એથી અને શ્રી જિનેશ્વરદેવોનાં વચનો ઉપર પૂરી શ્રદ્ધા નથી એથી જ ને ? સમ્યગ્દર્શન જીવતું ને જાગતું હોય તો જ જ્ઞાન સારું અને સફળ : આજ તો કહે છે કે તમારી માફક અમે પણ જો “પાપ-પાપ' કર્યા કરીએ, તો અમારી હાલત શી થાય ?' જ્ઞાની કહે છે કે “પાપથી પાછા ફરો તો મુક્તિ મળે' પણ એ કહે છે કે “અમારી મોજમાં પૂળો મુકાય તેનું શું ?' ત્યારે મોજમજાથી આત્મા મલિન થાય છે એવું દઢ શ્રદ્ધાન થયું નથી એથી જ કુતર્ક ઉત્પન્ન થાય છે ને ? આજે દર્શનોદ્યોત ખટકે છે અને માત્ર જ્ઞાનોદ્યોતને વધાવવાની વાતો થાય છે, એનું કારણ એ જ છે : પણ એમ કરનારાઓએ ખાસ સમજી લેવાનું છે કે દર્શન વિનાનું જ્ઞાન આત્માને બચાવી શકતું નથી, ત્યારે દર્શનવાળું જ્ઞાન આત્માને વારંવાર ટોણા મારે છે અને આત્માનો સારામાં સારો બચાવ કરે છે. શ્રી શ્રેણિક મહારાજાનાં દર્શનમાં આ બધું જ હતું. પાપની વાતે વાતે એ મહાન આત્માને આઘાત થતો. રત્નકંબલ જોઈ સવા લાખ સોનૈયાનું મૂલ્ય સાંભળી, એમને એમ થયું કે એટલા સોનૈયામાં તો પ્રજારક્ષણનાં ઘણાં કાર્ય થાય, માટે એ રત્નકંબલ ન લીધી. આથી સ્પષ્ટ છે કે સમ્યક્ત્વપૂર્વકનું જ્ઞાન તો આત્માને આત્માની સાચી ફરજ સમજાવે છે. એ જ કારણે એ આત્માઓ ભોગી છતાં ભોગમાં એવા લીન ન હતા અને ન થતા કે જેથી પોતાની ફરજ ચૂકી જાય. એકવાર શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી શાલિભદ્રનું મકાન જોયું, પોતાના વિલાસભવન કરતાં પણ ચડિયાતું ! એના હસ્તિ આદિને વસવાનું સ્થાન જોયું કે તરત એ જ થયું કે “ભગવાન શ્રી મહાવીરદેવે કહેલા પુણ્યપ્રકારોમાંનો આ પણ એક પુણ્યનો જ પ્રકાર : મારે રાજપુણ્ય છે તો એને ભોગપુણ્ય.” આજ પણ કંઈ શ્રીમંતો એવા છે કે રાજાઓથી વધી જાય. શ્રીમંતને બાર મહિને પચાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy