SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ : દર્શનના ઉદ્યોતથી જ્ઞાનનો ઉદ્યોત : - 48 ૧૭૯ સાંભળવાનો પણ સમય નથી મળતો તે જાણવાનું જૈન કુળમાં જન્મેલાને સહેજે આચારથી મળે છે. અહીં તો આચાર જ જુદો ! શ્રાવક નીચું જોઈને ચાલે : શ્રાવક ઘાસ પર પગ ન મૂકે : અનાજ પર પગ ન મૂકે. આ બધું સમજાવનાર શ્રી જિનેશ્વરદેવ જેવા ઉપકારી કોણ ? કોઈ કહે કે ન સમજાવ્યું હોત તો એમનું શું જાત ? પગ મૂકવાથી અન્યનો આત્મા હણાય અને એથી તમારો આત્મા હણાય : એ બેય ન હણાય માટે તો આ દયાળુઓએ આટલે સુધી કહ્યું. આથી સ્પષ્ટ છે કે જેમ જ્ઞાન વધે તેમ તો શ્રી જિનેશ્વરદેવોનાં વચનો પર પ્રીતિ વધે. શ્રી જિનેશ્વરદેવોએ વિષય તથા કષાયોથી બચવાનું બતાવ્યું : હિંસા, મૃષા, ચોરી, વ્યભિચાર, પરિગ્રહ, એ બધું જન્મે વિષય-કષાયમાંથી ને ? એ પાપજનક વસ્તુને તજવાનું કહેનાર જેવા ઉપકારી કોણ ? જેમ જેમ જ્ઞાન થાય, તેમ તેમ શ્રી જિનેશ્વરદેવનાં વચન પર પ્રેમ ન થાય એ બને ? ઇતરો પણ ત્યારે આ વસ્તુનું સ્વરૂપ સમજે છે અને એમના લધુકર્મીપણાના યોગે જ્યારે એમને વિષય- કષાય ખરાબ લાગે છે, ત્યારે એવા ઇતરોને પણ શ્રી જિનેશ્વરદેવોનાં વચનો તરફ સદ્ભાવ પેદા થાય છે અને ઘણા આજે સાચા હૃદયથી એમ કહ્યા જ કરે છે કે જો પહેલેથી આવું શિક્ષણ મળ્યું હોત, તો અમે આવા ન હોત. જ્ઞાન વધે એનાથી શું વિષય-કષાયની ભાવના વધે ? અને જે વિષય-કષાયની ભાવના વધારે તેને જ્ઞાન પણ કેમ કહેવાય ? જે જ્ઞાન પેદા થવાથી વિષયકષાય ઘટે, તે જ્ઞાનના આવ્યા બાદ શું વિષય-કષાય ઉપર કાપ મૂકનારી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન ગમે એ બને ? જ્યાં એકેએક પાપ તજવાની વાત, સ્વપરનો ઘાત ન થાય તેની જ જ્યાં ચિંતા, વસ્તુસ્વરૂપ વિચારવાના જ્યાં મનોરથ, અને કોઈને હાનિ ન થાય એ જ જ્યાં ભાવના, ત્યાં આવી પરમ કલ્યાણકારી આજ્ઞાઓ પર ભણેલાઓને પ્રેમ ન થાય તો એવાને ભણેલા કેમ જ કહેવાય ? જેમ જેમ ભણતર વધે, શક્તિ વધે, તેમ તેમ એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની નિકટ જવાય કે દૂર હટાય ? વરસોની તો શું પણ જિંદગીઓની મહેનતથી પણ જે ન સમજાય, તે આ તારકોએ શરૂથી કહ્યું. આજ તો અમુક શોધ કેટલી મહેનત પછી સંભવે છે અને તે પણ શંકાસ્પદ તો ખરી જ, જ્યારે આમણે તો પ્રથમથી જે જે રૂપે છે, તે તે રૂપે નિશ્ચિતપણે કહ્યું. અને એ રીતે વસ્તુસ્વરૂપ કહીને પણ કરવાનું શું બતાવ્યું ? પાપના સંસર્ગથી બચવાનું જ ! આ જ તો અમુક બાબત જાણવા માટે પણ પાપના અખતરા કરવા પડે, એ કેવો 697 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy