SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો છે પછી એ જ્ઞાનને શ્રુતજ્ઞાન તો વધારે સ્ફુટ સ્વરૂપે બતાવે છે. એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો સંબંધ એકમેક સાથે એક સ્વરૂપ સરખો સંકળાયેલો હોવાથી જ અર્થાત્ સમ્યગદર્શન વિના સમ્યજ્ઞાનની સંભાવના નહિ હોવાથી જ, બીજે સ્થળે ‘જ્ઞાન અને ચારિત્રથી મુક્તિ છે' - એમ ફરમાવ્યું છે. આથી સ્પષ્ટપણે સમજાશે કે જેનશાસનનો પાયો જ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન પામ્યાથી દૃષ્ટિ શુદ્ધ બને તો જ ગુણ ગુણરૂપે થાય, દર્શન હોય ત્યાં જ્ઞાન અને ચારિત્ર હોય પણ અને ન પણ હોય : દર્શન સમકાલીન જ્ઞાન તો હોય જ પણ તે સિવાયનું જ્ઞાન ને ચારિત્ર ન પણ હોય ! સમ્યજ્ઞાન હોય કાં સમ્યગ્દર્શન નિયમા હોય જ, પણ ચારિત્ર હોય પણ અને ન પણ હોય, પરંતુ સમ્યક્ચારિત્ર હોય ત્યાં તો સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન નિયમા હોય જ. જ્ઞાનમાં દર્શન આવી જાય દર્શન વિના જ્ઞાન જ્ઞાનની કોટિમાં આવતું નથી. હવે વિચારો કે દર્શનના અભાવે જ્ઞાનનો ઉદ્યોત હોય જ શાનો ? ૩ 696 શ્રી તીર્થંક૨દેવનું શાસન ક્રમસર ચાલ્યું, પણ જેમ જેમ સમય જાય તેમ તેમ જ્ઞાન ઘટવાનું કે વધવાનું ? શ્રી જંબૂસ્વામી પછી જ્ઞાન ઘટતું જ ગયું. ભગવાનના નિર્વાણ પછી એક હજાર વર્ષ બાદ પૂર્વ ગયા. જ્ઞાનના ઉદ્યોતનો કાળ તો ગયો અને અજ્ઞાનના ઉદ્યોતનો કાળ આવતો ગયો છે, પરંતુ ઊંધાં ચશ્માં ચડાવીને જ જોનારને અજ્ઞાન પણ જ્ઞાનરૂપ ભાસે અને એના યોગે એને આ જ્ઞાનોઘોતનો કાળ લાગે, તો તેમાં નવાઈ પામવા જેવું પણ શું છે ? જ્ઞાનોઘોતના સમયમાં તો દર્શનની તેમ ચારિત્રની પણ તીવ્રતા હોય અને તેમ તેમ જ્ઞાન પણ વિકાસ પામતું હોય. અત્યારે તો દર્શનમાં ઢીલાશ અને ચારિત્ર્યમાં શૈથિલ્ય, ત્યાં જ્ઞાનનો ઉદ્યોત હોય જ ક્યાંથી ? પૂર્વના મહાપુરુષોના જેવું ચારિત્ર્ય આજે છે કાં ? એ શ્રદ્ધા આજે કેટલા પ્રમાણમાં છે ? માટે એવા મૂર્ખ પ્રલાપો કરતી વખતે જરા હૈયે હાથ દઈને એટલું તો વિચારો કે જેમ જેમ જ્ઞાન વધે, તેમ તેમ શ્રી જિનેશ્વરદેવનાં વચનો પ્રત્યે પ્રીતિ વધે કે ઘટે ? જેને જ્ઞાન પરિણમે તેને શ્રી જિનેશ્વરદેવ જેવું બીજું ઉપકારી લાગે કોણ ? Jain Education International નાનામાં નાની વસ્તુનું ઝીણવટથી કોઈએ પણ સ્વરૂપ કહ્યું હોય તો તે શ્રી જિનેશ્વરદેવે ! અભક્ષ્યના ભક્ષણમાંથી ઉગારી લઈ, અભક્ષ્યનું સ્વરૂપ સમજાવવા ન દેખાય તેવા જીવો પણ એમણે કહ્યા ! ઇતરદર્શનોમાં જે જીવોનું સ્વરૂપ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy