SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ 895 – ૧૧ : દર્શનના ઉધોતથી જ્ઞાનનો ઉધોત: - 48 – ૧૦૭ વિના જૈન શાસ્ત્ર સમ્યજ્ઞાન માન્યું જ નથી, તો એકલા દર્શનવિહીન જ્ઞાનોદ્યોતનો જમાનો આવે જ ક્યાંથી ? અનંતાનુબંધી કષાયની ચોકડી તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, અને મિથ્યાત્વ મોહનીય, એ સાત પ્રકૃતિના ક્ષયથી, ઉપશમથી કે ક્ષયોપશમથી જે પરિણામ થાય તે સમ્યગ્દર્શન ! ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચકવરે પણ “તત્ત્વાર્થાધિગમ'નું પહેલું સૂત્ર એ જ મૂક્યું છે કે “ સ ન-જ્ઞાન-રત્રાળ મોક્ષમાળ." સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફ ચારિત્ર, - એ ત્રિપુટી મોક્ષમાર્ગ છે. એમાંથી એકના પણ અભાવે મોક્ષ મળે નહિ. એ ત્રણમાંથી એકનો પણ અભાવ હોય ત્યાં સુધી મુક્તિમાર્ગની સંપૂર્ણ આરાધના થઈ શકે જ નહિ. જો કે “જ્ઞાનક્રિયાખ્યાં મોક્ષ:” એટલે કે જ્ઞાન અને ચારિત્રથી મુક્તિ મળે છે, એમ આ જ શાસ્ત્રકાર મહર્ષિદેવો ફરમાવે છે, પરંતુ એ સહેતુક છે એટલું જ નહિ પણ એ બંને કથન વચ્ચે લેશ પણ વિરોધ આવી શકતો જ નથી ભગવાન શ્રી ઉમાસ્વાતિ વાચકવરે પણ તત્ત્વાર્થાધિગમની સ્વોપન્ન ટીકામાં એ જ ખુલાસો કરેલો છે. પરંતુ જેઓ પોતે માત્ર સ્વયમેવ વાંચી લઈને મનફાવતી કલ્પનાઓ કરવા મંડી પડે છે, તેમને એ વસ્તુ ઊંધે રૂપે પરિણમે છે અને પરિણામે જે શાસ્ત્ર અનંતાઓને તાર્યા, તારે છે અને તારશે, તે જ શાસ્ત્ર તેવા અજ્ઞાન આત્માઓને એમના અજ્ઞાનના યોગે ભવભ્રમણનું કારણ બની જાય છે. એક જ સ્થળેથી એક વસ્તુ પકડી લઈને માત્ર શબ્દગાહી બની જવામાં આવે તો એ વસ્તુ ઉન્માર્ગે ઘસડી જાય છે અને અધપાતનું કારણ બને છે. એક કહે છે કે “સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ષ્યારિત્ર મુક્તિનો માર્ગ છે.' - જ્યારે બીજા ફરમાવે છે કે “સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા એટલે ચારિત્રથી મુક્ત છે.” આમ છતાં બંને વાક્યો અણીશુદ્ધ સત્ય છે. કારણ કે સમ્યગ્દર્શન વિના સમ્યજ્ઞાન સંભવી શકતું નથી. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિ સમકાલે થાય છે અને પછી એમાં વિશુદ્ધિ આવતી જાય છે. સાથિયા વગેરેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, એથી એમ નથી સમજવાનું કે પ્રથમ જ્ઞાન, પછીનું વિશુદ્ધ દર્શન અને એ બે પછી જ ચારિત્ર ! ત્યાં પ્રથમ દર્શનપૂર્વકનું જ્ઞાન, બાદ જ્ઞાન પછીનું વિશુદ્ધ દર્શન અને એ બે પછી જ ચારિત્ર ! અહીં એક સમજવા જેવી વસ્તુ છે. સમ્યજ્ઞાન એટલે મહાન શ્રુતજ્ઞાન જ એમ નહિ ! જો એ અર્થ કરીએ તો તો કોઈ શ્રુતજ્ઞાની થયા વિના દીક્ષા જ ન લઈ શકે. સમ્યજ્ઞાન એટલે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મનું અમુક જ સ્વરૂપ હોઈ શકે અને એ તત્ત્વત્રયીથી જ આત્મા પરમાત્મા બની શકે, વગેરે સમ્યકુ જ્ઞાન એ સમ્યજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy