SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ -- - --- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - 694 જુદા ! ત્રણે જુએ જુદું ! ત્રણે ફળ જુદું જુદું કાઢને ? સુંદર સ્ત્રીનું શબ કૂતરાની દૃષ્ટિએ પડે તો ખાવાના કામમાં લે, કામીની દૃષ્ટિએ પડે તો ન કરવાના વિચારો કરે - “જીવતી હોય તો' - એમ કરીને પોતાની ભાવના પ્રમાણે વિચારે, મિથ્યાદૃષ્ટિની દૃષ્ટિએ પડે તો એ કહે કે “બિચારીએ શું ભોગવ્યું ?' શ્રાવકની દૃષ્ટિએ પડે તો એ ચિંતવે કે “આમ જો મરી ગયા તો રહી જઈશું, માટે ધર્મ આરાધવામાં ઉદ્યમશીલ થવું અને સાધુની દૃષ્ટિએ પડે તો એ વિચારે કે “અસાર શરીરમાંથી સાધવા યોગ્ય ધર્મ છે. બાકી એના રૂપ-રંગ ને બધું જ વિનશ્વર છે : છતાં અજ્ઞાન આત્માઓ એમાં મૂંઝાઈ પોતાના હાથે જ પોતાનું અકલ્યાણ કરે છે.' ચીજ એક જ છે, પણ ભાવના બધાની જુદી છે. છતાં સુશ્રાવક અને સુસાધુ બેની ભાવનાનો મેળ ખાય, બાકીનાનું તો જુદું જ ! કોઈ પૂછે કે આંખોમાં શો ફેર ? આંખમાં ફેર નથી પણ ભાવનામાં ફેર છે. ખરેખર, સમ્યગ્દર્શનથી જિંદગીમાં પલટો થાય છે. જ્ઞાન તો પહેલાં પણ હતું. “કને કાનો કા' તો આવડતો હતો, પણ એનો ઉપયોગ એ સમ્યગ્દષ્ટિ માફક કરી શકતો નહોતો. શરીર મુમુક્ષુ મુનિને સાધક અને સંસારી ગૃહસ્થને કર્મ બંધાવનાર ! મુનિ એ જ શરીરથી આત્મકલ્યાણ સાધે, જ્યારે વિષયાધીન આત્માઓ એ જ શરીરથી કર્મ બાંધે ! ત્યાગીઓ જે શરીરને મુક્તિનું સાધન બનાવે, તે જ શરીરને રાગીઓ નરકનું સાધન બનાવે ! શરીર તો તે જ, પણ માલિકી જુદા જુદા આત્માની છે, એટલે કાર્યવાહીમાં ફરક છે. એક શરીરને મોક્ષારાધનાના સાધનરૂપ માની સાધ્યમાં વિદન ન આવે તે પૂરતું સાચવે છે અને ઉપયોગમાં લે છે, જ્યારે બીજો શરીરની સુખાકારીમાં પડી જઈને તેની જાળવણીમાં મોક્ષદાયક અનુષ્ઠાનોનો પણ ત્યાગ કરતાં અચકાતો નથી ? એટલા જ માટે મિથ્યાષ્ટિને નિવૃત્તિ સાધવા છતાં, ત્યાગ આરાધવા છતાં, અને અનેકાનેક તકલીફો ઉઠાવવા છતાં પણ એ ક્રિયાઓના સમ્મધ્યેયના અભાવે મુક્તિપદની પ્રાપ્તિ થતી નથી. વસ્તુને તેના યથાસ્થિત વસ્તુસ્વરૂપે ન માનવું તે મિથ્યાત્વ. આથી જ સમ્યકત્વ પૂર્વેનું જ્ઞાન તે જ્ઞાન કહેવાતું હોય તો કહેવાય ભલે, પણ સમ્યકત્વ પામ્યા પછીના જ્ઞાનની અપેક્ષાએ તો એને અજ્ઞાન તરીકે જ વર્ણવ્યું છે. દર્શનો ધોત વિના જ્ઞાનોદ્યોત સંભવે જ નહિ! સભા : જ્ઞાનોદ્યોતના જમાનામાં દર્શન ન પણ હોય, એ બને કે નહિ ? જે કાળે સમ્યગ્દર્શન ન હોય તે કાળે સમ્યજ્ઞાનનો ઉદ્યોત હોય જ નહિ. સમ્યગ્દર્શન વિના સમ્યગુ જ્ઞાનોદ્યોતનો જમાનો હોય જ નહિ, સમ્યગ્દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy