SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ “મુનિશ્રી રામવિજયજી મહારાજનાં વ્યાખ્યાનોની સોએ સો ટકા ખૂબી અને કિંમત તો તે વ્યાખ્યાનો સાંભળવાથી સમજાય, વાંચવાથી નહિ. આ બાબતનો અનુભવ લેવા માટે મેં મુનિશ્રીના “ધર્મ” ઉપરના એક વ્યાખ્યાનમાં ખાસ હાજરી આપી અને તેમના પ્રભાવશાળી વક્નત્વનો લાભ લીધો. સચોટ, સરળ અને તરત હૃદયમાં ઉતરી જાય તેવી શૈલી વાપરવામાં એઓ એક્કા છે. એમનો શ્રોતા વર્ગ મોટે ભાગે કેળવણી, શિક્ષણ અને સંસાર વ્યવહારની દષ્ટિએ જોતાં પણ મધ્યમ વર્ગનો - Middle Class નો હોય છે, એટલે તેમના મન ઉપર અસર કરવા માટે વ્યાખ્યાનોની ભાષા ઘરગથ્થુ લોકપ્રિય હોવી જોઈએ અને દષ્ટાંતો સહેલાઈથી સમજી શકાય તેવાં અપાવાં જોઈએ અને મુનિશ્રી ખરેખર તે જ ધોરણે વ્યાખ્યાન આપી શ્રવણ કરવા બેઠેલી મંડળીના હૃદયમાં પોતાના વિચારો સોંસરા પેસાડી દે છે. વચમાં વચમાં પ્રશ્નોત્તર પણ થતા જાય છે. ગમે તેવો કઠિન પ્રશ્ન એકાએક એમની સમક્ષ મૂકવામાં આવે છે, છતાં પણ મગજનું સમતોલપણું ન ખોતાં, પોતાની વિચાર શ્રેણીમાં ત્રુટિ ન આવવા દેતાં, નૈસર્ગિક હાજર જવાબીના ગુણનો ઉપયોગ કરી, તે પ્રશ્નનો પોતે ઉત્તર આપે છે. પુસ્તક રૂપે તો એમનાં વ્યાખ્યાનોનો માત્ર સાર જ અપાય, કારણ એમના બોલબોલ, એમની ભાષણ કરવાની છટા, એમના મનના ભાવનું પ્રદર્શન વગેરે કાંઈ ટાઈપમાં મૂકી શકાય નહિ, પરંતુ એ સારનું પણ જે રીતે દોહન કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. છપાયેલાં વ્યાખ્યાનો જો મોટેથી અને યોગ્ય ગ્યાએ ભાર દઈ વાંચવામાં આવે, તો જાણે મુનિજીને સાંભળતા હોઈએ એવો આભાસ થાય છે. તેનું કારણ એ છે કે, બની શકે ત્યાં વ્યાખ્યાનકર્તાએ ઉચ્ચારેલા શબ્દો તથા બોલ સાચવી રાખવામાં, ઉતારી લેવામાં, લખી લેવામાં આવેલા છે અને તેથી એ વ્યાખ્યાનોનું વ્યક્તિત્વ (Individuality) જળવાઈ રહ્યું છે. વ્યાખ્યાનોમાં કર્તાએ આપેલો બોધ તથા જણાવેલી હકીકતનું તેમજ હાલના જમાનામાં થયેલી આચારોની શિથિલતા, સાધુતા જાળવવાની આવશ્યકતા વગેરે જરૂરી વિષયોનું બહુ સારી રીતે સ્પષ્ટીકરણ થયું છે. કટાક્ષરૂપે જે સમજે તેને એમણે સખત ચાબખા પણ માર્યા છે. એમાંની ઘણી હકીકત જૈન તથા જૈનેતર બન્નેને સરખી રીતે લાગુ પડે છે, એટલે બન્ને કોમને એ ગ્રંથ અને ગ્રંથકાર 10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy