SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સામે ચાલેલા કેસમાં, મેજિસ્ટ્રેટ, ‘તે મુનિ રામવિજયજી એક “ધર્મઝનૂની' સાધુ છે', એવા જ્જમેન્ટમાં લખેલા શબ્દો ટાંકે છે. પરંતુ એ કેસની અપીલના જ્જમેન્ટમાં વિદ્વાન ન્યાયાધિશ મિ. ડેવીસે પહેલાંના જ્જમેન્ટમાં જ અનેક સુધારા કર્યા હતા, તેમ એ પણ “સુધારો કર્યો હતો કે, તે મુનિ રામવિજયજી એક ધર્મશ્રદ્ધાળુ' સાધુ છે', ધર્મઝનૂની નહિ ! વધુમાં બાઈ રતને કરેલા કેસના સંબંધમાં પણ જેમની જુબાની વિશ્વાસપાત્ર ગણવામાં આવી હતી, તે અમદાવાદની સ્મૉલ કૉઝ કોર્ટના જજ રા. સૂરચંદ પી. બદામીએ જુબાનીમાં પૂ. પ્રવચનકાર મહાત્મા સંબંધમાં જણાવ્યું હતું કે, હું રામવિજયજીને ઓળખું છું; તેઓ જૈનધર્મના સાધુ છે; હું તેમને ગુરુ તરીકે માનું છું; રામવિજયજીનો ઉપદેશ મેં સાંભળ્યો છે, તેમના આચાર-વિચાર જૈન ધર્મને તદ્દન અનુસરતા છે. આ બન્ને (પૂ. રામવિજયજી અને તેઓ શ્રીમદ્ભા ગુરુ સિદ્ધાંતમહોદધિ શ્રી પ્રેમવિજયજી મહોપાધ્યાય) સાધુઓના ચારિત્ર વિષે મને ઊંચો અભિપ્રાય છે અને તેઓ બન્ને ઊંચી કોટિના સાધુ છે. જ્યારે મેં રામવિજયજીને પાનસરમાં પહેલી જ વાર સાંભળ્યા, ત્યારે મને લાગ્યું કે, એ પ્રોડીજી (Prodigy – અસાધારણ) થશે અને તેમના ગુર આત્મારામજીનું* નામ રાખશે અને તે પછીના અનુભવથી મારો તે અભિપ્રાય હજુ બદલાયો નથી.” આ ઉપરાંત પૂ. પ્રવચનકાર મહાત્માના વિરોધીઓ તેઓ શ્રીમદ્ગી સામે અસભ્ય ભાષાનો, પ્રશ્નકારોને હલકા પાડવાનો તેમજ તેઓશ્રીને સાંભળનારાઓમાં કુસંપવૃત્તિ ળાવવાનો અસત્ય આક્ષેપ કરે છે. તે સંબંધમાં મુંબઈની સ્મૉલ કૉઝ કોર્ટના માજી ન્યાયાધિશ, સુપ્રસિદ્ધ સાક્ષરવર્ય, દિવાન બહાદુર શ્રીયુત્ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જેવી એક વિદ્વાન જૈનેતર વ્યક્તિએ પોતાનો જે અનુભવ કહ્યો છે. તે જ દર્શાવવો કદાચ બસ ગણાશે. આ રહ્યો તે અનુભવ. * પૂ. આત્મારામજીના પટ્ટધર વિજયકમલસૂરિજી; તેમના પટ્ટધર વિજયદાનસૂરિજી; તેમના મુખ્ય શિષ્ય પ્રેમવિજયજી અને તેઓશ્રીના શિષ્ય ગ્રંથકાર મહાત્મા; પરંતુ આ સાધુસમૂહ શ્રી આત્મારામજીના સંઘાડા તરીકે ઓળખાતો હોઈને, શ્રી બદામીએ ગ્રંથકારને તેમના શિષ્ય કહેલ છે; પૂ. આત્મારામજી વીસમી સદીના એક પરમ પ્રભાવક હતા. ગ્રંથ અને ગ્રંથકાર | 9 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy