SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શન; ૩ - સ્થાને વિનય. (૨) પરમાર્થ વૃત્તિથી દુનિયાનાં પ્રાણીઓ પ્રત્યે, વિશ્વ પ્રત્યે, બદલો લેવાની ઇચ્છા વિનાની પ્રીતિ - સૌના હિતની ચિંતા. આથી શુભ ભાવના થાય અને દ્વેષરૂપ અગ્નિ બુઝાઈ જાય. (૩) દુનિયાદારીના સ્વયમેવ નાશવંત, મૂકીને જવાના, તેવા પદાર્થો પ્રત્યે મારાપણાની ખોટી - કલ્પી કાઢેલી બુદ્ધિનો નાશ, તે ત્રીજું સાધન. આથી તૃષ્ણા કે જે સઘળા દોષોની માતા છે અને સઘળા ગુણોનો ઘાત કરનારી છે, તેનો નાશ થાય છે. આ માનવજીવન સફળ કરવા માટે બહુ જ શુદ્ધ હૃદયપૂર્વક જે ત્રણ સાધનો સેવવાનાં બતાવ્યાં, તે આત્માને આ ભવમાં શાંતિ પમાડે અને તેથી ભવાંતરમાં પણ શાંતિ આપે એવાં છે અને તેના આરાધનથી ભવિષ્યમાં એવી કાર્યવાહી થશે કે. આત્માની સાથે અનાદિકાળથી લાગેલ કર્મમળ સાફ થશે અને જે સુખને પ્રાણી માત્ર ઇચ્છે છે. તે મુક્તિનું અદ્વિતીય સુખ, કે જે દુ:ખના લેશ વિનાનું પૂરેપુરું અને શાશ્વત છે, તે મળી શકશે અને તે આત્માને સઘળાં દુઃખના દાવાનળો સ્પર્શી પણ શકશે નહિ અને તો જ મળેલ આર્યદેશ, આર્યકુળ અને આર્યજાતિની સફળતા થશે.” ધર્મઝનૂની છે કે ધર્મશ્રદ્ધાળુ ? પૂજ્ય પ્રવચકાર મહાત્માનાં આ જ ભાવાર્થને દર્શાવતાં પ્રવચનોની સામે કોઈ જ ધર્માર્થી જૈનોને કિંવા જૈનેતર સુજ્ઞજનને પણ ‘વિરોધ' ન જ હોય. એમાં કેવળ પોતાના અને પરના કલ્યાણની જ ભાવના છે. પરંતુ ધર્મને નામે જીવવા છતાં અને ધર્મબખ્તરથી રક્ષિત છતાં, અધર્મ કરનારા તથા પોતાના અધર્મના બચાવને ખાતર ધર્મને પણ ‘અધર્મરૂપ દર્શાવવાનું પાપકર્મ કરી, mતને પાપકર્મમાં વધુ રસિક બનાવનારાઓ, આજે આવા કલ્યાણકર ઉપદેશ સામે પણ વિરોધ ઉઠાવી રહ્યા છે. એટલું જ નહિ પણ તેઓ સીધી રીતે દલીલોમાં નહિ ફાવવાથી, વિશ્વમાત્રના આત્મિક કલ્યાણને ઇચ્છતા આ મહાપુરુષને હલકાં પાડવાના આશયથી, જૈન અને જૈનેતર mતમાં આ તર્કટી' બાબત ફેલાવવાની દુશ્લેષ્ટા કરી રહ્યા છે. એવાઓ જ આ મહાત્માને “ધર્મઝનૂની મનાવવા મિથ્યા પ્રયાસો કરે છે. એ માટે પ્રમાણ તરીકે અમદાવાદના શ્રીમંત મિલમાલિક અંબાલાલ સારાભાઈએ સંવત્સરી જેવા પરમ પર્વને દિને કૂતરાંઓ ઉપર કરાવેલા ગોળીબારના સંબંધ. વીરશાસનના તંત્રી અને પ્રકાશક | 8 | ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy