SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાનું જે જે આચરણ ન ગમતું હોય, તે તે આચરણ પોતે અન્ય પ્રત્યે ન જ આચરવું જોઈએ વિષયવિરાગ, કષાય ત્યાગ, ગુણાનુરાગ અને શુભ ક્રિયાઓમાં અપ્રમત્તતા કેળવવી જોઈએ. પોતે કોઈનો નથી અને પોતાનું કોઈ નથી, અર્થાત્ માતા-પિતા. સ્વક્સ-પરિવાર કે સુખ-દુઃખ, એ બધું કર્મક્ય છે', એમ માની મોહનાં બંધન ઢીલા કરવા જોઈએ અને એ બધાના હેતુભૂત કર્મનો નાશ કરનારી પ્રવૃત્તિ આદરવી જોઈએ; પોતાના આત્માની પોતે દયા ચિંતવીને પાપથી સદાય ડરતા રહેવું જોઈએ. આ માટે જેમ બને તેમનિસંગાવસ્થા કેળવવાની જરૂર છે અને સંપૂર્ણ નિઃસંગ બનેલા આત્માઓ જસંપૂર્ણ શાશ્વત અને દુઃખના લેશ વિનાનું સુખ અનુભવી શકે છે, જ્યારે અંશે અંશે નિસંગ બનેલા આત્માઓ તે પ્રમાણમાં સુખ પામે છે.” આ વસ્તુઓની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન', આનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આનો આચાર તે “સમ્યફચારિત્ર.' આ ઉપદેશમાં ત્રણેનો સમાવેશ થઈ જાય છે ! આ રત્નત્રયીના ઉપદેશમાં સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ ઉભયનો સમાવેશ થઈ જાય છે. ઉપર દર્શાવેલા ધર્મના સેવનથી જ સુખ છે અને એથી રહિત કાર્યમાં, પાપકર્મમાં કેવળ દુઃખ જ છે, એમ સમજાવતાં પૂ. પ્રવચનકાર મહાત્મા એક સ્થળે ફરમાવે છે કે, “જ્ઞાનીઓએ શાસ્ત્રોમાંથી સારનું દોહન કરીને બે વસ્તુ કહી કે, ધર્મ કરવો એ સુખનું સાધન અને પાપ કરવું એ દુઃખનું સાધન.” આમ કહીને ધર્મનું સ્વરૂપ ટૂંકમાં છતાં સ્પષ્ટપણે સમજાવતાં તેઓ ફરમાવે છે કે, “આપણી જાતને ભયંકર લાગે, દુઃખમય લાગે તે પારકા પ્રત્યે આચરવું નહિ, એનું નામ ધર્મ. જે જે બનાવોથી મને તકલીફ થાય, તે મારે મારી જિંદગીમાં બીજા પ્રત્યે આચરવા નહિ. આ મનઃકામના આવે તોજ સંપૂર્ણ સાધુપણું (સંપૂર્ણ ધર્મપણું) થાય.” આ રીતે ધર્મનો ઉપદેશ આપ્યા બાદ પરમ ઉપકાર પરાયણ પ્રવચનકાર મહાત્મા સુખના એક માત્ર સાધનરૂપ ધર્મનાં સાધનો દર્શાવતાં તે જ સ્થળે ફરમાવે છે કે, (૧) પહેલી હંમેશાં બને તો ચોવીસ કલાક, કાયાથી ન બને તો હદયથી, હૃદયના બહુમાનપૂર્વક સાધુ એટલે ગુણોએ કરી વૃદ્ધ મહાપુરુષો, એમની સેવા, એમની આજ્ઞાનું પાલન. આ સાધનની સેવાથી લાભ ત્રણ, ૧ - સુંદર ઉપદેશની પ્રાપ્તિ; ૨ - ધર્માત્માનાં ગ્રંથ અને ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy