SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ 679 ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા ઃ - 47છે માટે અયોગ્ય ઉધમાત છોડી દો.' આથી એ કુલાંગારોએ જોયું કે ‘આ તો માર ખાવાની વાત થઈ.' એટલે સમજી ગયા અને શાસ્ત્રને જ બનાવટી કહેવાની યોજના ઘડી કાઢી. અને જેટલા શાસ્ત્રના રચનારા, એટલા બધાને ખોટા કહેવાનો ઠરાવ કર્યો. નહિ તો વિચાર તો કરો કે પ્રભુમાર્ગના રક્ષક સાધુઓ ઉપર કલંક, ધાંધલ અને હલ્લા વગેરે શા માટે ? એક જ કારણ કે એમની વાસ્તવિક મહત્તા ધર્મી સમાજમાં જામી છે. તેને ગમે તે રીતે તોડવા માટે અને તે તૂટે તો જ એમને ફાવટ થાય. વ્યવહારમાં પણ કોઈને તોડવો હોય તો તોડનાર એમ જ કહે છે કે ‘ઠીક હવે, એની બધી વાત જાણું છું, એની પેઢીમાં તો પોલ છે.' આવી જ વાત ચલાવે, કારણ કે ‘પાંચસો સાંભળનારમાંથી બસો તો માને ને ! બસ એ ચાલ્યું. તેવી જ રીતે આ લોકાએ વર્તમાન આચાર્ય આદિને ખૂબ ખૂબ ભાંડ્યા, તેમાં થાકચા એટલે શાસ્ત્રના રચના૨ને જ ખોટા જાહે૨ ક૨વાનું આરંભ્યું અને કહેવા માંડ્યું કે ‘એ ગીતાર્થો અહમિદ્ર હતા, સ્વાર્થી હતા, એમણે પોતાની મોટાઈ જાળવવા ફતવા કાઢ્યા, માટે આ શાસ્ત્રો ઉપર વજન ન મુકાય.' જ્યારે તા૨ક શાસ્ત્રો ઉ૫૨ વજન ન મુકાય તો વજન ક્યાં મુકાય ? સભા : વજન કોના ઉપર મુકાય ? એ કુલાંગારોના કથન ઉપર. એ કંગાલો એમ જ સમજી રહ્યા છે કે મહાપુરુષોની નિંદા કરવાથી તેઓ હલકા પડશે અને પછી આપણું જ વજન વધશે ને ! પણ એ તદ્દન કમનસીબ કંગાલોને ખબર નથી કે એવા પરમજ્ઞાની અને પરમત્યાગી પરમર્ષિઓની નિંદાથી વજન વધશે નહિ. પણ હશે તેનોય નાશ થશે અને પરભવમાં ભયંકર દશા થશે એ જુદી ! વધુમાં બોધી એટલે કે ધર્મની પ્રાપ્તિ પણ દુર્લભ થશે અને અનંત કાળ સુધી આ ભયંકર ભવારણ્યમાં ભટકવું પડશે અને તેમ કરતાં દમ પણ નીકળી જશે. શાસનરક્ષકોની જવાબદારી : સભા : શું એ લોકો એવી જાતના કમઅક્કલ છે ? એમાં પ્રશ્ન જ શો ? જો એ કમનસીબો એવી જાતના કમઅક્કલ ન હોત, તો પ્રભુશાસનની અવિચ્છિન્ન શુદ્ધ પરંપરા ઉપર કાપ મૂકવાની ધૃષ્ટતા સેવત ? શાસનને જ ઉડાવવા જેવી નાદાનિયતને આચરત ? પણ નહિ, એ કમઅક્કલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy