SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ 678 જેટલો ભેદ, તેટલો આ બેમાં ભેદ પાડી શકાય એમ લાગે છે. ખરે જ, આજે આ શાસનમાં ઘણા જ કુલાંગારો પાક્યા છે, કે જેઓની દશા જ વિલક્ષણ છે. જેઓને જૈનશાસનની જરૂર હોય તે સિવાયની કોઈ પણ વસ્તુ જ માનવી નથી અને એ જ કારણે તેઓ તરફથી પોતાના કલ્પિત પક્ષના સમર્થન ખાતર વર્તમાનમાં વિચરતા આચાર્ય આદિ મુનિવરોને ખોટા કહેવામાં આવે છે અને એથી પણ આગળ વધી પૂર્વાચાર્યોને પણ સ્વાર્થી અને પ્રપંચી કહેવામાં આવે છે. તે કુલાંગારો તો ત્યાં સુધી કહે છે કે એ બધા અહમિદ્રોએ પોતાના સ્વાર્થ ખાતર આગમમાં પણ ગોટાળા કર્યા છે અને એ બધા પ્રપંચી જ હતા. આ રીતે આજના કુલાંગારો પોતાના પાપમાર્ગને પોષવા માટે પ્રભુમાર્ગને, પ્રભુમાર્ગના પ્રચારકોને અને પ્રભુમાર્ગના અનુયાયીઓને યથેચ્છ રીતે ભાંડી રહ્યા છે. આજથી વર્ષો પૂર્વે પણ એક પંડિત નામધારી તરફથી કહેવાયું હતું કે ‘ભગવાન મહાવીર પછી બસો વરસ પછીના બધા આચાર્યો અજ્ઞાનના સ૨દા૨, મૂર્ખા અને જુઠ્ઠા હતા.' આજે પણ એ જ રીતે વેષધારીઓ કે જેઓ શાસનમાં કુલાંગાર તરીકે કામ કરે છે, તેઓની અને તેમના સાગરીતોની પ્રેરણાથી એવા આશયનું કહેવામાં આવે છે કે ‘ભગવાન શ્રી જંબૂસ્વામી પછીના, એટલે કે ભગવાન શ્રી મહાવીરદેવથી ચોસઠ વર્ષ પછીના બધા આચાર્યો સ્વાર્થી અને પ્રપંચી થયા છે તથા ગીતાર્થ એટલા બધા જ, સ્વાર્થી અને અહમિદ્રો થયા છે.’ આ બધાનું કારણ એક જ છે કે આમ કહ્યા વિના પોતાથી પ્રભુના શાસનમાં કોઈ પણ રીતે જીવી શકાય તેમ નથી. વિચારો કે આવા આત્માઓની મનોદશા કેવી અને કેટલી ભયંકર છે ! તેઓએ જોયું કે ‘આપણે દીક્ષાની વય વગેરેની ચર્ચા તો ઉઠાવી પણ વાત વધશે અને વિવાદ કરવો પડે તો પ્રભુમાર્ગમાં રત સાધુઓ તો પ્રભુઆગમને લાવીને આગળ મૂકશે, માટે આપણે તો અત્યારથી જ બચાવની બારી કરી રાખવી, કારણ કે આગમથી તો કોઈ પણ રીતે ફવાય તેમ છે જ નહિ, આગમથી તો હાર જ ખાવી પડશે, માટે એ મૂળને જ કાપો, આગમને જ બનાવટી કહો અને આગમધરને સ્વાર્થી, પ્રપંચી, દંભી, અભિમાની કહી દો એટલે પીડા પતી.' આવી દશાવાળા આત્માઓ અને તેમના સાથીઓ ‘કુલાંગાર’ સિવાય કઈ ઉપમાને યોગ્ય છે ? આવી જાતના કુલાંગારોએ મહાન કુલાંગારોની પ્રેરણાથી અમુક કાર્યવાહી ક૨વા માટે એક શાસ્ત્રવિરુદ્ધ નિયમાવલી ઘડી. એની સામે અવાજ થયો કે ‘દીક્ષાની અમુક વય વગેરે વાતો શાસ્ત્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy