SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ 6m – ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47- ૧૪૯ આત્માઓ મિથ્યાત્વને આધીન થઈ પોતાની હઠ ન છોડે અને ઉન્માર્ગની પ્રવૃત્તિ વધાર્યું જ જાય, તે આત્માઓ ગમે તેવા હોય તો પણ તેઓને સંઘ બહાર કરવાની આ શાસનમાં ભારેમાં ભારે આજ્ઞા છે. આ રીતે એક એક નિહ્નવને શ્રી સંઘથી બહાર કરવામાં આવેલ છે. જમાલિ' જેવાને સાક્ષાત્ ભગવાનની હાજરીમાં પણ સંઘ બહાર કરવામાં આવેલ છે. નિદ્ભવ બનેલા ગોષ્ઠામાહીલને સંઘે સમજાવ્યો, ઘણું કહ્યું, ગોષ્ઠામાહીલ કહે કે “શ્રી સીમંધર સ્વામી કહે તો માનું શ્રી સંઘે એમ પણ કર્યું, આરાધનાથી શાસનદેવીને બોલાવી, શાસનદેવી શ્રી સીમંધરસ્વામીને પૂછી આવી અને શ્રી સીમંધરસ્વામીએ પણ એ જ કહ્યું, ત્યારે ગોષ્ઠામાહીલ કહે છે કે “દેવી ગપ્પાં મારે છે. એનામાં શી તાકાત બળી છે કે ત્યાં જાય ?” આથી એને ભયંકર દુરાગ્રહી જાણીને તરત જ સંઘે સંઘ બહાર મૂક્યો, એ મૂક્યાની વાત યાદ છે ને ? સભાઃ ગોષ્ઠામાહોલમાં પ્રથમ સમ્યક્ત્વ ખરું? પૂર્વે હતું, પણ પછીથી ગયું અને ઘોર મિથ્યાત્વ ઉદયમાં આવ્યું અને એના યોગે દુરાગ્રહી બની, ઉન્માર્ગ પ્રકાશવા માંડ્યો તે માટે જ સંઘ બહાર કરવામાં આવ્યા. આ જ રીતે દરેક નિહ્નવો પ્રથમ તો સમ્યગ્દષ્ટિ ખરા જ. પાછળથી જ તે બિચારા મિથ્યાત્વના ઉદયે નિદ્ભવ બનેલા. નિદ્ભવ બન્યા પણ જેઓ સુધરી ગયા અને પુનઃ સમ્યકત્વ પામી ગયા, તેઓ તો પાછા શાસનમાં સ્થાન પામી જ ગયા : પણ જેઓ ગાઢ મિથ્યાત્વના ઉદયે “મારું તે જ સાચું - પછી ભલે સાચું હોય કે ખોટું હોય ! આવું માનતા થઈ ગયા તેઓએ જ પ્રભુશાસનમાંથી પોતાનું સ્થાન ગુમાવ્યું અને તે પછી તેઓએ ગમે તેવો ત્યાગ અને સંયમ સેવ્યો, છતાં તેની કિંમત અંકાઈ નહિ : કારણ કે સમ્યકત્વ પ્રતિ બેદરકાર બનવાથી કોઈ પણ ક્રિયા સફળ થતી નથી, એવી આ શાસનની મજબૂત માન્યતા છે અને છે પણ તેમજ ! એ જ માટે કહેવું પડે છે કે કર્મશત્રુ ઉપર જય મેળવવાની જેની ઇચ્છા હોય, તેણે સમ્યકત્વ મેળવવા પ્રયત્ન કરવો જોઈએ અને તે પછી તેમાં દઢ થવું જોઈએ. આગમના અમુક વચનને ઉત્થાપે તે નિહ્નવ કહેવાતા. પણ જેઓ આજે પણી વસ્તુને ઉત્થાપે છે, અરે એટલું જ નહિ પણ સીધાનું જ ઊંધું જ કરે છે, તેઓને માટે શું કહેવું, તે માટે શબ્દ જ નથી જડતો. નીચ અને કુલાંગારમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy