SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ — — – Gi "कुणमाणोऽवि निवित्ति, परिचयंतोऽवि सयणधणभोए । दितोऽवि दुहस्स उरं, मिच्छदिट्ठी न सिज्झइ ।।२।।" તેમ મિથ્યાદષ્ટિ આત્મા અન્ય દર્શને કહેલી નિવૃત્તિ કરવા છતાં પણ સ્વજન, ધન અને ભોગોનો પરિત્યાગ કરવા છતાં પણ અને “પંચાગ્નિતપ' આદિએ કરીને પણ દુઃખને હૃદય આપવા છતાં પણ, એટલે કે અનેક પ્રકારનાં દુઃખોને હૃદયથી ભોગવવા છતાં પણ તે સમ્યગ્દર્શનથી રહિત હોઈને સિદ્ધિપદને પામતો નથી.” "तम्हा कम्माणीयं जेउमणो, दंसणंमि पयइज्जा। दसणवओ हि सफलाणि, हुंति तवनाणचरणाई ।।३।।" તે કારણથી “કર્મરૂપ સેનાને જીતવાના મનવાળા આત્માએ સમ્યગ્દર્શનમાં, એટલે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે તપ, જ્ઞાન અને ચારિત્ર સમ્યગ્દર્શનને ધરનાર આત્માનાં જ સફળ થાય છે.” આ ઉપરથી સારામાં સારી રીતે સમજી શકાશે કે સમ્યગ્દર્શન, એ એક ઘણી જ મહત્ત્વની વસ્તુ છે. અને એથી જ એ સમ્યગ્દર્શન વિનાનાં જ્ઞાન, તપ અને ચારિત્ર એ વસ્તુતઃ નકામાં જ છે : કારણ કે સમ્યગ્દર્શન વિના સાચું ધ્યેય સમજાતું નથી. કરે બધું પણ એનું ધ્યેય કયું ? તત્ત્વાર્થની શ્રદ્ધા વગરના આત્માનું ધ્યેય કયું ? એ જ : મુક્તિ નહિ પણ જે છે તે જ. એવા (પૌદ્ગલિક) ધ્યેયથી નિવૃત્તિ ગમે તેટલી કરે, સ્વજન-ધન તથા ભોગનો ત્યાગ પણ કરે, તકલીફો પણ વેઠે, પરંતુ એ બધું જ સમ્યગ્દર્શનરૂપ મૂળ વસ્તુના અભાવે કિંમત વિનાનું જ ગણાય. ચોથું અધ્યયન “સમ્યકત્વ એટલા જ માટે રાખવામાં આવ્યું છે કે જો ધ્યેય સમજાય અને સ્થિર થઈ જાય, તો મળેલી વસ્તુ જોઈતો લાભ કરે. એ વસ્તુ પમાય છે તો અનેક રીતે, અનેક લાલસાથી વસ્તુ પમાય છે, અનેક નિમિત્તોને અંગીકાર કરી વસ્તુ પમાય છે, પણ શ્રી જિનેશ્વરદેવે કહેલ સમ્યક્ત્વ ન જચે, તત્ત્વાર્થશ્રદ્ધા ન થાય, ધ્યેય ન સમજાય, આજ્ઞા-સ્વરૂપ અને હેતુ ન પરિણમે, તો બરાબર વસ્તુ આવતી નથી : કદી આવે તો ટકતી નથી ? કદી ટકે તો એ વસ્તુ આત્માને એવા સ્વરૂપમાં મૂકે છે કે લાભને બદલે આત્માને હાનિ થાય. આથી જ જ્ઞાનીઓ કહે છે કે “મિથ્યાદૃષ્ટિપણું એ જ મોટામાં મોટો દુર્ગુણ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy