SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ---- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ - ભાગે આજના સહવાસ ખોટા છે, ચર્ચાઓ ખોટી છે, વાતો ખોટી છે. વાતાવરણ વિરુદ્ધ છે. વિષમ છે અને ત્યાં બધા ઝૂક્યા છે એથી ! અત્યારનું વાતાવરણ તત્ત્વશ્રદ્ધા ઉપર જ ઘા કરનારું થઈ પડ્યું છે. જ્યાં તત્ત્વશ્રદ્ધા ઉપર જ ઘા થાય, ત્યાંથી સમ્યગ્દષ્ટિ વગર પ્રેરણાએ પણ ખસી જ જાય અને ન જ ખસે તો તેના સમ્યકત્વનો નાશ થઈ જાય એમાં આશ્ચર્ય પણ શું? સમ્યકત્વ તો શ્રી જિનશાસનનો પાયો છે : સદ્દાલપુત્ર, ગોશાળાનો પરમ શ્રાવક હતો : પણ તેને ભગવાન શ્રી મહાવીરદેવ મળ્યા, ભગવાને એને સમજાવ્યો અને એ સમજ્યો કે તરત જભગવાનનો પરમ શ્રાવક બન્યો. એટલે કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કર્યો અને સુદેવ, સુગુરુ તથા સુધર્મનો સ્વીકાર કર્યો. ગોશાળા પ્રત્યેનો પોતાનો પ્રેમ હતો તો પણ તજી દીધો, કારણ કે તેમ કર્યા વિના સાચી વસ્તુનો સ્વીકાર ન થઈ શકે અને કદાચ સ્વીકાર થઈ શકે તો પણ પાછળથી તેને ટકાવી શકાય નહિ. વસ્તુની કિંમત સમજાયા પછી એને મેળવતાં અને સાચવતાં જેટલું જેટલું તજવું પડે, તેટલું તેટલું તજવું જ જોઈએ. અમુકના યોગે મિલકત નાશ પામે એવું જાણનાર મિલકતને એનાથી બચાવે જ, એમાં વળી શિખામણ દેવાની હોય ? પ્રભુના દરેક શ્રાવકે પણ સમ્યક્ત્વને સ્વીકારતાં પહેલાં જ એ નિયમ અંગીકાર કર્યો કે અન્ય સ્થાનમાં રહેલા ચૈત્યને વંદન નહિ કરું.' સમ્યકૃત્વ સ્વીકારતાં પહેલાં મિથ્યાત્વનો પરિત્યાગ કરવો જ પડે. અન્ય સ્થાનમાં રહેલાં ચૈત્ય તો કંઈ બોલે નહિ ને ? એ ન જ બોલે, જ્યારે સાધુ તો બોલે, એટલે જો એ અન્ય સ્થાને રહે અથવા અન્ય સ્થાનમાં દોરવાઈ જાય અથવા તો અન્ય સ્થાનમાં પોતાની વડાઈ મનાવવા માટે દોડી જાય, તો એનો ત્યાગ પણ જરૂરી જ છે ને ? મિથ્યાત્વના પરિત્યાગ પછી જ સમ્યકત્વ આવે. સદ્દાલપુત્ર' પ્રભુના શ્રાવક બન્યા પછી એકવાર જ્યારે ગોશાળો પોતાને ઘેર આવ્યો, ત્યારે તે સદાલપુત્ર તેને જોવા છતાં પણ મૌન ધારીને બેસી જ રહ્યા. પણ ઊભા થઈને આદરસત્કાર કર્યો જ નહિ. આથી લજ્જિત થયેલા ગોશાળાએ ભગવાન શ્રી મહાવીર પરમાત્માનું સારામાં સારું ગુણવર્ણન કર્યું, તેથી પ્રસન્ન થયેલા “શ્રી સદ્દાલપુત્ર' નામના પરમ શ્રાવકે કહ્યું કે “તમે શ્રી સર્વજ્ઞ પરમાત્માનું યથાર્થ ગુણવર્ણન કર્યું છે, તેથી જ હું તમને સત્કારપૂર્વક અશન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy