SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ હ૩૭ –૮ : બધું જ છે કાય જીવોની રક્ષા માટે : - 45 - ૧૧૧ હિંસક એટલે કે હિંસક પરિણામી હિંસા તો કરે ત્યારે ખરી, પણ એ પરિણામથી પોતાના આત્માની હિંસા તો થઈ જ જાય છે. હિંસક ન બની જવાય અને અહિંસકપણામાં ટકી રહેવાય તે માટે, બીજું અધ્યયન લોકવિજય' નામનું કહ્યું. અહીં લોકનો અર્થ ક્યો કર્યો ? રાગાદિ કષાય અને શબ્દાદિ વિષય એ લોક : કેમ કે લોકનું મૂળ જ એ. અહિંસક બનવા માટે અને બન્યા પછી ટકી રહેવા માટે, એ બન્ને લોક ઉપર વિજય મેળવ્યે જ છૂટકો. રાગાદિ ઉપર ઘટતો અંકુશ મૂકી વિષયસામગ્રી સાથે અને વિષયસામગ્રીમાં યોજનાર તથા પ્રેરનાર સ્વજન-કુટુંબ-કબીલા સાથે સૌથી પહેલો વિજય કરવો જોઈએ. ત્યાંથી ખસ્યો એટલે તે તરફની અભિલાષાઓ આપોઆપ ખસે. પણ જો આને જ વધારવાની ભાવના થાય, તો આગળનો વધુ વિજય થાય શી રીતે ? ન જ થાય. આ જ કારણે “લોકવિજય” કરવા પ્રયત્ન કરવો જોઈએ. તિતિક્ષા-સહનશીલતા: લોકવિજય' કરતાં અને કર્યા પછી પણ અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો આવવા એ શક્ય છે. એ વખતે તે બન્ને જાતના ઉપસર્ગોને વિકારરહિતપણે સહી લેવા માટે તિતિક્ષા, એટલે સહનશીલતાની અતિશય જરૂર છે. એ બતાવવા માટે “લોકવિજય' નામના બીજા અધ્યયન પછી “શીતોષ્ણીય' નામના ત્રીજા અધ્યયનની રચના છે. આ વાત બીજા અધ્યયન સાથેનો ત્રીજા અધ્યયનનો સંબંધ બતાવતાં સારામાં સારી રીતે ટીકાકાર મહર્ષિએ ફુટ કરી છે. બીજા “લોકવિજય' નામના અધ્યયન પછી ત્રીજા “શીતોષ્ણીય' નામના અધ્યયનનો સંબંધ શો છે ? - એ બાબતમાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે "अध्ययनसम्बन्धस्तु शस्त्रपरिज्ञोक्तमहाव्रतसम्पत्रस्य लोकविजयाध्ययनप्रसिद्धसंयमव्यवस्थितस्य विजितकषायादिलोकस्य मुमुक्षोः कदाचिदनुलोमप्रतिलोमाः परीवहा प्रादुष्भवन्ति, तेऽविकृतान्तःकरणेन सम्यक्सोढव्या, इत्यनेन सम्बन्धेनायातमिदमध्ययनम् । " “શસ્ત્રપરિણા” નામના પ્રથમ અધ્યયનમાં કહેલ મહાવ્રતોથી સંપન્ન, લોકવિજય’ નામના અધ્યયનમાં પ્રસિદ્ધ સંયમમાં વ્યવસ્થિત અને કષાયાદિ લોકના વિજેતા મુમુક્ષુને કોઈ વખત અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગો પ્રગટ થાય છે, તો તે ઉપસર્ગો તેણે હૃદયથી સહેજ પણ ખિન્ન થયા વિના સમ્યક પ્રકારે સહન કરવા જોઈએ. - આ સંબંધથી બીજા “વલોકવિજય અધ્યયન પછી આ “શીતોષ્ણીય' નામનું ત્રીજું અધ્યયન છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy